– 30 કિમીના જંગલની જાળવણી માટે 24 કલાક વનવિભાગ તૈનાત
માંડવી : માંડવી વનવિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વીરપ્પનો તરફ લાલ આંખ કરતાં ઘણા લાકડાચોરો લાકડાચોરીનો ધંધો બંધ કરી અન્ય ધંધા તરફ વળી ગયા છે.ત્યારે હાલમાં જ માંડવી વિસ્તારની ગીચ વનરાજીની જાળવણી માટે વધુ એક ચોકી બનાવી અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યરત કરી છે.
દક્ષિણ રેંજના આરએફઓ ઉપેન્દ્રસિંહ રાઉલજી દ્વારા ઉચ્ચ અધિકારીઓના મર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સાથે સતત નિરિક્ષણ સાથે વોચ રાખી વન સંપત્તીને વધુ સુરક્ષિત રાખવાના પ્રયત્નો હાથ ધરાયા છે.જેના પરિણામ સ્વરૂપ સુરત વ્યારા અને બંને ડિવિઝનની સરહદે 30 કિમી ગીચ જંગલને વધુ સુરક્ષિત કરવા ગાંગપુર હર્ષદ ખાતે અદ્યતન પ્રોટેક્શન ચોકીનું નિર્માણ કર્યું છે.માંડવી વનવિભાગના કરૂઠા,સામરકૂવા અને સિંગલવાણના ગીચ જંગલમાંથી નીકળવાના એક માત્ર માર્ગને છેવાડે ચોકી પર ચોવીસ કલાક વનકર્મીઓ તૈનાત રહેશે.