સુરત,ગુરૂવાર : પાંડેસરા બમરોલી સ્થિત ઓમ સાંઇ નગર સોસાયટીમાં રહેતો રીક્ષા ચાલક માતાની અંતિમવિધીમાં વતન યુ.પી જવા નીકળ્યો અને તસ્કરો તેના બંધ ઘરને નિશાન બનાવી રૂ.1.84 લાખના દાગીના ચોરીને ભાગી ગયા હતા.
પાંડેસરા-બમરોલી રોડ સ્થિત ઓમ સાંઇ નગર પ્લોટ નં.16 માં રહેતો રીક્ષા ચાલક અરૂણકુમાર કૃષ્ણાનંદ પાંડે (ઉ.વ. 42) ની માતાનું મૃત્યુ થતા ગત 27 નવેમ્બરે પરિવાર સાથે વતન યુ.પી ના જોનપુર જિલ્લાના બોડેપુર ગામ ગયા હતા. દરમિયાનમાં અઠવાડીયા બાદ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશેલા તસ્કરો રૂમમાંથી બે સુટકેશ લઇ ગયા હતા અને તેમાંથી રૂ.1.84 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી બેગને રહેણાંક સોસાયટીના ગલીના નાકા પર ફેંકી દીધી હતી.ઘટના અંગે વતનથી પરત આવેલા અરૂણે ગત રાત્રે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
Post Views: 2