બારડોલી : માધવપુરના મેળામાં રાષ્ટ્રીય સ્તરના લોકસંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભક્તિના કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી રામેશ્વર તૈલી, અસમ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી મહેસૂલ અને કાયદો રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી શિક્ષણ જિતુભાઈ વાઘાણી, પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ વહીવટી અઘિકારીઓની સમક્ષ બારડોલીની યુવતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.જેમાં ત્વિષા વ્યાસ અને તેના ગૃપ ક્રિષ્ના ભક્તિનો કાર્યક્રમ અને વાયોલિન વાદનથી દેશભક્તિનો કાર્યક્રમ સફળ રીતે રજૂ કર્યો હતો.પૂર્વ અને પશ્ચિમ ભારતના પ્રેમ સંબંધનો લોકકલા વારસો અને રાષ્ટ્રીય ગીત સંગીતના તણાવણા ગૂંથી સુંદર અભિનય, સંગીત, નૃત્ય અને ગાયકીની કળા પ્રસ્તુતિ કરી હતી.આ ઉપરાંત માધવપુરના માધવ રુક્મિણી વિવાહ શુભ પ્રસંગ પણ રજૂ કર્યો હતો.