By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મારા રાજમાં કોંગ્રેસી ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ, ખરીદ વેચાણ કોંગ્રેસની ટેવ : સી.આર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મારા રાજમાં કોંગ્રેસી ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ, ખરીદ વેચાણ કોંગ્રેસની ટેવ : સી.આર
AhmedabadGeneralPolitics

મારા રાજમાં કોંગ્રેસી ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ, ખરીદ વેચાણ કોંગ્રેસની ટેવ : સી.આર

HM News
Last updated: 19/10/2020 6:32 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે કરજણની મુલાકાતે છે.જ્યાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે? તેવા સવાલના જવાબમાં સી.આર પાટીલે જણાવ્યું કે,કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહવખતે પણ બધાને ખરીદ્યા એટલે ખરીદ વેચાણની સ્થિતી છે અને ટેવ પણ છે,તે કોંગ્રેસની છે.કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા બાદ ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. પોતાના પદને જોખમમાં મુકીને પણ લોકહિતમાં કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે કોંગ્રેસનાં ધારાસભ્યોને લેવામાં આવશે નહી અને લીધા છે,તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસને છોડીને આવ્યા છે.ધારાસભ્યએ પદ છોડ્યું છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે.

સાવકી માતાએ માસુમ બાળકને કેનાલમાં ફેંકી દીધો, 9માં દિવસે મૃતદેહ મળ્યો

સી.આર પાટીલે વધારેમાં જણાવ્યું કે,કરજણ બેઠક પર જે રીતે કાર્યકર્તાઓ કામે લાગ્યા છે.લોકો ઉત્સાહિત છે અને મતદારોમાં કરંટ છે.રાજ્ય સરકારે કરેલા કામો અને કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે લોકોને લાભ મળ્યો છે. આ બંન્ને વચ્ચે સમન્વય કરીને અમે લોકો વચ્ચે જઇ રહ્યા છીએ.કોંગ્રેસમાં જે પ્રકારે નારાજગી છે. સિટીંગ ધારાસભ્યો પણ પાર્ટી છોડી રહ્યા છે,જે કોંગ્રેસમાં વધેલા અવિશ્વાસ બતાવે છે.તેમની કેન્દ્ર અને રાજ્યની નેતાગીરી નિર્બળ અને અસમંજસની સ્થિતીમાં છે. લડવાની એમની માનસિકતા હવે બચી નથી.

પક્ષપલટુઓનો મુદ્દો ભાજપને નડશે? તેવા સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું કે,આ મુદ્દો એટલા માટે નહી કે,તેઓ લોકહિત માટે ધારાસભ્ય પદ છોડ્યું છે.તે સાબિત કરે છે તેઓ લોકોના હિત માટે જ કામ કરે છે. કોંગ્રેસમાં જે થતું હતું કે,ગદ્દારી હતી.આ ગદ્દારી નથી.પેટાચૂંટણી સંદર્ભે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પ્રદર્શન સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સંગઠનાત્મક પ્રવાસ કરશે.આજે કરજણ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ હાજર રહ્યા હતા.જ્યારે મોરબી અને લીંબડી ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉપસ્થિત રહી ચૂંટણી વ્યવસ્થાપન અને સંગઠનાત્મક બાબતે માર્ગદર્શન આપશે.

મુંબઈ અંડરવર્લ્ડમાં છેલ્લે સુધી ટકી રહેલાં ડોન અરુણ ગવળીને જેલમાં કોરોનાનું સંક્રમણ
સુરત : સસરાએ પુત્રવધુને કહ્યું, ચલ બેઠ ગાડી મેં, મૈં તુજે બતાતા હૂ રેપ ક્યા હોતા હૈ… તો પતિ થઇ ગયો વિડિઓ કોલમાં નગ્ન…
રોજ શૂટિંગ પહેલા શિવમંદિર જળ ચડાવવા જતા હતા ઈરફાન ખાન, ડ્રાઈવરે જણાવ્યુ સત્ય
દેશમાં બેન્ક ફ્રોડની વણજાર : આ કંપનીએ 10 સરકારી બેન્કોને 1530 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો
અસિત વોરા,જીતુ વાઘાણીના કૌભાંડમાં હાથ કાળા, સમન્સ પાઠવો : યુવરાજસિંહ
Share This Article
Facebook Email Print
Previous Article માહોલ જામતો નથી, ખાટલા પરિષદ-સભામાં ઉડયા કાગડા, મોદી-શાહ વિના પેટાચૂંટણી જીતવી અત્યંત અઘરી- ‘તું નહીં તો તારો ફોટો પણ ચાલશે’
Next Article ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ : મંગળવારે રાજીનામુ ફગાવશે: ભાજપ સાંસદ અને સ્થાનિક સંગઠન સામે જબરૂ આક્રોશ : અમૂલ ડેરીમાં સાંસદે હરાવ્યાનો આક્ષેપ, આમ છતાં રહેશે તો ભાજપ સાથે જ..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up