By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મારો પુત્ર રાજધર્મ, હું રાષ્ટ્રધર્મ નિભાવીશઃ યશવંત સિંહા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મારો પુત્ર રાજધર્મ, હું રાષ્ટ્રધર્મ નિભાવીશઃ યશવંત સિંહા
GeneralNational

મારો પુત્ર રાજધર્મ, હું રાષ્ટ્રધર્મ નિભાવીશઃ યશવંત સિંહા

HM News
Last updated: 27/06/2022 6:53 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાએ રવિવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી વ્યક્તિગત સ્પર્ધા કરતાં ઘણી વધુ મહત્વની છે અને આ સરકારના એકાધિકારનો વિરોધ કરવાની દિશામાં એક ડગલું છે.સિંહાએ કહ્યું હતું કે તેમના પુત્ર જયંત સિંહા ભાજપના સાંસદ છે તેમ છતાં ભાજપની વિરુદ્ધ રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા અંગે તેમને જરા પણ‘ધર્મ સંકટ’હોય તેવું લાગતું નથી,તેમણે કહ્યું કે “તેઓ(પુત્ર જયંત સિંહા)તેમનો રાજધર્મ નિભાવે છે,હું મારો રાષ્ટ્રધર્મ નિભાવીશ.” સિંહાએ કહ્યું કે આ ચૂંટણી માત્ર ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી નથી.આ સરકારની એકાધિકારવાદ સાથેની નીતિઓનો વિરોધ કરવાની દિશામાં એક ડગલું છે.આ ચૂંટણી દેશની જનતાને સંદેશો છે કે આ નીતિઓનો વિરોધ કરવો જોઈએ.

ભાજપની આગેવાની હેઠળના એનડીએના ઉમેદવાર આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂ છે તે અંગે તેમણે કહ્યું કે એક જ વ્યક્તિ આગળ આવે એટલે આખો સમાજ આગળ આવી ગયો તેવું નથી.ભાજપે રાજકીય પ્રતીક સ્વરૂપે મુર્મૂને આ પદ માટે પસંદ કર્યા છે.સિંહાએ ઉમેર્યું કે “જાહેર જીવનના મારા લાંબા અનુભવ પરથી હું કહી શકું કે કોઈ એક વ્યક્તિ આગળ આવે એનો અર્થ આખો સમાજ આગળ આવ્યો તેવું નથી.સમગ્ર સમુદાય આગળ આવે તેના માટે સરકાર જે નીતિઓ નક્કી કરે તેના પર આધાર છે.

હું આ અંગે વધુ કંઈ નહીં કહું,પણ આપણા સમાજમાં ઘણાં ઉદાહરણો છે કે એક વ્યક્તિ આગળ વધી હોય,પરંતુ સમાજમાં સહેજ પણ પ્રગતિ થઈ ન હોય.આ માત્ર પ્રતીકાત્મક છે,તેનાથી વિશેષ કંઈ નહીં.” તેમણે કહ્યું કે આ ચૂંટણી વ્યક્તિગત કરતાં ઘણી મોટી છે અને જ્યાં સુધી સમગ્ર સિસ્ટમમાં સુધારા નહીં થાય ત્યાં સુધી અંધકાર દૂર નહીં થાય.આપણા લોકતંત્ર,આપણા બંધારણ પર જોખમ ઊભું થયું છે, સ્વતંત્રતા સંગ્રામના તમામના તમામ મૂલ્યો પર જોખમ ઊભું થયું છે….ભારત પર જોખમ છે આથી સમગ્ર ભારતે ભારતને બચાવવા માટે જાગવું પડશે.”

શું ખરેખર IT, ED, CBIના ડરથી એકનાથ શિંદેનો સાથ આપી રહ્યા છે શિવસેનાના ધારાસભ્યો?
ICICI ફ્રોડ કેસ : CBIએ ચંદા કોચર બાદ વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી
જમાતીઓના સમર્થનમાં આવ્યા મૌલાના કાદરી, મીડિયાને આપી ધમકી, કહ્યું- રિપોર્ટરોનું બહાર નિકળવું…
અંકલેશ્વર સ્થિત વાસુદેવ કેમિકલને ક્લોઝર નોટિસ
કાશ્મીરી પંડિતોના પલાયનને ભાજપે તે સમયે મૌન સમર્થન આપ્યુ હતુ, પીએમ મોદી રથયાત્રમાં બિઝી હતાઃ કોંગ્રેસ
Share This Article
Facebook Email Print
Previous Article ઓઢવ આંગડિયા પેઢી લૂંટમાં રાજસ્થાનથી 4 લૂંટારા ઝબ્બે
Next Article NDAના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ 6 વર્ષમાં પતિ સહિત 5 આપ્તજન ગુમાવ્યા હતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up