નવી દિલ્હી,તા.3.ફેબ્રુઆરી : 2008માં મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટના કેસમાં વધુ એક સાક્ષી કોર્ટમાં ફરી ગયો છે.આ 17મો સાક્ષી છે જેણે સાક્ષી આપવા માટે ના પાડી દીધી છે અને તેણે મહારાષ્ટ્ર એટીએસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.આ સાક્ષીએ કહ્યુ હતુ કે,મહારાષ્ટ્ર પોલીસની એટીએસ દ્વારા મારુ અપહરણ કરવામાં આવ્યુ હતુ અને મને ચાર દિવસ સુધી અટકાયતમાં રખાયો હતો.મને આ બ્લાસ્ટના આરોપી તરીકે આરએસએસના નેતાઓના નામ લેવા માટે મજબૂર કરાયો હતો.
દરમિયાન આ કેસમાં 15મા સાક્ષીએ પણ અગાઉ આવાજ આરોપ લગાવીને કહેવાયુ હતુ કે,મારા પર પોલીસે આ બ્લાસ્ટમાં યોગી આદિત્યનાથ,આરએસએસના સિનિયર નેતા ઈન્દ્રેશ કુમાર અને સ્વામી અસિમાનંદનુ નામ લેવા માટે દબાણ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે,આ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા અને 100 લોકો ઘાયલ થયા હતા.એક મોટરસાયકલમાં આ બ્લાસ્ટ થયો હતો.આ કેસમાં આરોપી લેફટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતે અગાઉ માંગણી કરી હતી કે, વિશેષ કોર્ટ દ્વારા બંધ રુમમાં કેસની સુનાવણી કરવામાં આવે.