નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી : સંઘ પ્રમુખ મોહન ભાગવત અને દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની મંગળવારે મુલાકાત થઈ.પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા આ મુલાકાતે એનેક પ્રકારની ચર્ચાને વેગ આપ્યો છે.
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે,મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થઈ શકે છે.આ અગાઉ પણ મિથુન વિશે એવી ખબરો સામે આવતી રહી છે.ઓક્ટોબર 2019માં પણ મિથુન ચક્રવર્તિ અને મોહન ભાગવત વચ્ચે મુલાકાત થઈ હતી.આ મુલાકાત નાગપુર સ્થિત સંઘ કાર્યાલય પર થઈ હતી.
ઉલ્લેખનિય છે કે મિથુન ચક્રવર્તી તૃણમૂલ કોંગ્રેસમાંથી પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે.જોકે સતત ગેરહાજર રહેવાને કારણે તેમણે પોતે જ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.