મુંબઇ : મહારાષ્ટ્ર નહાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી(મ્હાડા)દ્વારા મિલ કામદારોને ઘર આપવા મંગાવેલી અરજીઓમાં ૧૨ હજાર ડુ ેપ્લિકેટ હોવાની શંકા મિલ વર્કસ એસોસિએસનને વ્યક્ત કરી છે.ઘરોની લોટરી કાઢવા પૂર્વે ડુપ્લિકેટ અરજી કાઢવામાં નહિ આવેતો આંદોલન છેડવાની એસોસિએશને ચીમકી આપી છે.જ્યારે મ્હાડા ટૂંક સમયમાં ૨૫૨૧ ઘરો મિલ કોમદારોને ફાળવવા માટે લોટરી યોજવાનું આયોજન કરી રહી છે.એમ એસોસિએશનને જણાવ્યું હતું.મિલ કામદારો માટે થાણે જિલ્લામાં ઘરો આપવા માટે મ્હાડાએ મંગાવેલી અરજી ડુપ્લિકેટ આરજીઓ ઘણા આવી હોવાનો આક્ષેપ મુકાયો છે.આ અરજીઓ કાઢી નાખવા ની માગણી કરાઇ છે.મ્હાડા મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેનો સમય માગી રહી છે જેથી કરીને મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલોપમેન્ટ ઓથોરિટી(એમ.એમ.આર.ડી.એ)પાસેથી મેળવેલા ઘરોની લોટરી યોજી શકાય.
મિલ વર્કસ એસોસિએસને ેડુપ્લિકેટ અરજીનો આક્ષેપ કર્યો છે.આ મુદ્દાને લગતી ફરિયાદ કરતો પત્રમાં મ્હાડાને આપ્યો છે.જેમાં કાર્યવાહી કરવા માટે ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.મિલ વર્કસ એસોસિએશનના અધ્યક્ષે ૧૨૦૦૦થી વધુ ડુ પ્લિકેટ અરજીઓ કાઢી નહીં નાંખેતો આંદોલન છેડવાની ચીમકી સુધ્ધા આપી છે.નામ ન આપવાની શરતે મ્હાડાના અધિકારીએ જણાવ્યું હતું કે ઘર ફાળવાણીના સમયે દસ્તાવેજો ની તપાસ કરવામાં આવશે.જો કોઇ બોગસ કે ડુપ્લિકેશન જોવા મળશે તો તેને ઘર આપવામાં નહીં આવે.લગભગ ૧.૭૫ લાખ મિલ કામદોરો અને વંશજો તેમના ઘરની રાહ જોઇ રહ્યા છે.છેલ્લા ૨૨ વર્ષોમાં મ્હાડોએ માત્ર ૧૮૦૦૦ મિલ કામદારોને મકાનો ફાળવ્યા છે.જ્યારે તે આગામી બે વર્ષમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં બાંધવામાં આવેલા ૭૫૦૦૦ ઘરો ફાળ વવાનું આયોજન કરાઇ રહ્યું છે.