મુંબઇ : મુંબઇમાં જો ચોમાસામાં એક કલાક દરમિયાન ૭૦ મિ.મિ.અને તેના કરતાં વધુ વરસાદ એકધારો વરસે તો જરૃરથી શહેર જળબંબાકાર બનશે એવી કબૂલાત મુંબઇ મહાનગર પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુએ કરી હતી.મુંબઇમાં ચોમાસા પૂર્વે નાળા સફાઇનું કામ ૧૦૫.૨૦ ટકા કરાયું હોવાનો દાવો સુદ્ધા તેમણે કર્યો હતો.ચોમાસામાં વરસાદ કલાકમાં ૬૦ મિ.મિ.વરસે તો શહેરમાં પાણી નહિં ભરાય વરસાદી પાણીનો નિકાલ કરવા પાલિકા પાસે યંત્રણા સક્ષમ છે.પરંતુ કલાક દીઠ ૭૦ મિ.મિ.અને તેના કરતાં વધુ વરસાદ વરસે તો શહેરમાં ઠેર ઠેર પાણી ભરાશે,એમ પી.વેલરાસુએ સ્પષ્ટ જણાવ્યું હતું.પાલિકા દર વર્ષે ચોમાસા પૂર્વે નાળા સફાઇનું કામ હાથ ધરે છે.આ વર્ષે ચોમાસા પૂર્વે ૧૦૫.૨૦ ટકા નાળા સફાઇનું કામ પૂર્ણ કર્યું છે.એમાં તળ મુંબઇમાં ૧૦૬.૧૩ ટકા,પશ્ચિમ ઉપનગરમાં ૧૦૪.૫૩ ટકા અને પૂર્વ ઉપનગરમાં ૧૦૬.૧૩ ટકા નાળાસફાઇનું કામ કરાયું છે.
જ્યારે મિઠી નદીમાં ૯૭.૨૩ ટકા અને નાના નાળાઓનું ૧૦૯.૮૯ ટકા સફાઇ કામ થયું છે.નાળા સફાઇના કામના માધ્યમથી ૯ લાખ ૫૦ હજાર મેટ્રિક ટન કાદવ કદડો(ગાળો)કાઢયો હોવાનો દાવો એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી.વેલરાસુએ કર્યો હતો.મુંબઇ શહેર અને ઉપનગર મળીને ૩૮૬ ફ્લડિંગ પોઇન્ટ છે.તેમાં પૈકી આ વર્ષે ૨૮૨ ફ્લડિંગ પોઇન્ટ ઓછા થયા છે.બચેલા ૧૦૪ ફ્લડિંગ પોઇન્ટ પૈકી ૩૦ ઠેકાણે ઉપાય યોજના કરાઇ છે.હવે બાકી રહેલા ૭૧ ફ્લડિંગ પોઇન્ટ પર ૮૦૦ કરોડ રૃપિયાના ખર્ચે વિવિધ કામ ચાલુ છે.આથી આગામી બે વર્ષમાં ૭૧ ફ્લડિંગ પોઇન્ટ પૂરમુક્ત થઇ જશે એવો દાવો એડિશનલ કમિશનર પી.એસ.વેલારાસુએ કર્યો હતો.આ સિવાય ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં સંગ્રહિત વરસાદી પાણી બહાર કાઢવા માટે ૪૭૭ ઓછી ક્ષમતાવાળા ૫૪૫ સ્થાપિત કરવામાં આવશે.આ પમ્પ સિસ્ટમ પાછળ લગભગ ૮૦.૯૦ કરોડ રૃપિયાનો ખર્ચ કરશે.તેમણે વધુમાં કહ્યું હતું કે વરસાદની સિઝનમાં રસ્તાપરના ખાડાઓની સમસ્યાના નિરાકરણ માટે શહેરીજનો ખાડાઓના ફોટા લઇન બીએમસીની ે ચસૅ એપ અથવા ગસ.સબયસ.ર્યપ.ૈહ વેબસાઇટ પર મોકલ્યા બાદ વહીવટી તંત્ર ૨૪ કલાકમાં ખાડાઓનું સમારકામ કરવામાં આવશે.