મુંબઈના માજી ગૃહ પ્રધાનના નામે વેપારી પાસેથી ખંડણી માગનારા 5 પોલીસ સામે ગુનો નોંધવા આદેશ

HM News
1 Min Read

મુંબઈ : રાજ્યના માજી ગૃહ પ્રધાનના નામે શહેરમાં નામાંકીત ટ્રાન્સપોર્ટ વ્યાવસાયિક પાસેથી દસ લાખની ખંડણી માગવા પ્રકરણે ગુના શાખાના પાંચ તત્કાલિન પોલીસ કર્મચારી સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

વાશીમ બાયપાસ,પરિસરમાં વિજય ટ્રાન્સપોર્ટના સંચાલક અબ્દુલ આસિફ પાસેના વાહનની તપાસણી કરવાના નામે સ્થાનિક ક્રાઈમ બ્રાંચના પાંચ પોલીસ વિરુદ્ધ ગૃ પ્ધાનના નામે દસ લાખની ખંડણી માગ્યાની ફરિયાદ અબ્દુલે કરી હતી.અબ્દુલના ત્રણ ટ્રક બળજબરીથી ક્રાઈમ બ્રાંચના પરિસરમા ંગેરકાયદે ઊભા કરી રખાયા હતા અને ગુનો દાખલ કરવાની ધમકી આપીને રૃ. દસ લાખની ખંડણીની માગણી કરી હોવાનું જણાવ્યું હતું.આ ફરિયાદનો કોઈ જવાબ નહીં મળતાં કોર્ટમાં ધા નાખી હતી. કોર્ટે તથ્ય અને પરિસ્થિતિજન્ય પુરાવા સ્વીકારીને પાંચ પોલીસ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *