– મૂળ દેશનું ખોટુ નામ દર્શાવીને કન્ટેનરો મોકલાયા હતા
– પુલવામા હુમલા બાદ ભારતે પાકનો વિશેષ દરજ્જો રદ કરીને બેઝિક કસ્ટમ ડયુટી 200 ટકા કરી
મુંબઈ : ન્હાવા શેવા પોર્ટ ખાતે કસ્ટમ અધિકારીઓએ આ મહિને પાકિસ્તાનથી આવેલા ત્રણ કન્સાઈન્મેન્ટ આંતર્યા હતા.આ કન્સાઈન્મેન્ટમાં તેમના મૂળ દેશની ખોટી માહિતી આપીને કરોડો રૃપિયાની ટેક્સ ચોરી કરાઈ હતી.આ કન્સાઈન્મેન્ટ્સમાં સૂકા ખજૂર અને મેલ્ટીંગ સ્ક્રેપ હતા એવી માહિતી અધિકારીઓએ આપી.ઉલ્લેખનીય છે કે ભારતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને અપાયેલો વિશેષ દરજ્જો રદ કર્યો હતો અને ફેબુ્રઆરી ૨૦૧૯માં પાકિસ્તાનથી આયાત થતા તમામ માલ પરની બેઝિક કસ્ટમ ડયુટી (બીસીડી) વધારીને ૨૦૦ ટકા કરી હતી.સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન એન્ડ ઈન્ટેલીજન્સ બ્રાન્ચ (એસઆઈઆઈબી)(આયાત)ના અધિકારીએ જણાવ્યું કે આ સપ્તાહે એક ખાનગી માહિતીના આધારે કસ્ટમ અધિકારીઓએ ૩૪૨.૭૨ મેટ્રીક ટન સૂકા ખજૂર ધરાવતા ૪૦ ફીટના ૧૨ કન્ટેનર જપ્ત કર્યા હતા.અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાનમાંથી આવતી હોવા છતાં તેમાં યુનાઈટેડ અરબ અમિરાત (યુએઈ)માંથી આવી હોવાનું દર્શાવાયું હતું. આ કિસ્સામાં રૃા. ૨.૫ કરોડની ડયુટીની ચોરી કરવામાં આવી હતી. પાકિસ્તાનથી આવતા માલ પર ૨૦૦ ટકા બીસીડી લાગુ પડે છે.
૮મી ડિસેમ્બરે એસઆઈઆઈબી(આયાત)એ એક ૪૦ ફીટનું કન્ટેનર આંતર્યું હતું જેમાં ૨૭ મેટ્રિક ટન સૂકુ ખજુર હતું. આ કિસ્સામાં પણ યુએઈને મૂળ દેશ તરીકે દર્શાવવામાં આવ્યો હતો.૨જી ડિસેમ્બરે કસ્ટમ અધિકારીઓએ મેલ્ટીંગ સ્ક્રેપ ધરાવતા પાંચ કન્ટેનર જપ્ત કર્યા હતા. આ કિસ્સામાં પણ માલ મોકલનાર દેશનું નામ બદલવામાં આવ્યું હતું અને રૃા. ૪.૩ કરોડની ડયુટીની ચોરી કરાઈ હતી.અન્ય કિસ્સાઓમાં કસ્ટમ અધિકારીઓએ બે કન્ટેનર જપ્ત કર્યા હતા જેમાં એક ડયુટીની ચોરીમાં સંડોવાયું હતું જ્યારે બીજા કિસ્સામાં રક્ત ચંદન યુએઈમાં નિકાસ કરાઈ રહ્યું હતું.અન્ય કિસ્સામાં ૧૪મી ડિસેમ્બરે અધિકારીઓએ ઈલેક્ટ્રોનિક રમકડા ધરાવતું ૨૦ ફીટનું કન્ટેનર પકડી પાડયું હતું જેમાં રૃા. ૬૪ લાખની ડયુટીની ચોરી કરાઈ હતી.