મુંબઇ : મુંબઈમાં કોરોનાના ૨૪ કલાકમાં ૯૬૧ કેસ નોંધાયા છે.રાજ્યના ૭૫ ટકાથી વધુ કેસ સાથે મુંબઈ જાણે કોરોનાનું એપીસેન્ટર બન્યું છે.ખાસ કરીને પશ્ચિમ ઉપનગરમાં બોરીવલીથી ગોરેગામ વચ્ચે દરદીની સંખ્યા વધુ છે.પાલિકાએ આપેલી માહિતી અનુસાર અત્યારે શહેરમાં કોરોનાના સક્રીય દરદી ૪૮૮૦ છે.મુંબઈમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૮ ટકા છે અને કોરોનાનો વૃદ્ધિ દર ૦.૦૫૭ ટકા છે. મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યા બમણી થવાનો સમયગાળો ૧૨૦૪ દિવસ છે.શહેરમાં ૨૪ કલાકમાં એક દરદીનું મોત થયું હતું.જ્યારે ૩૭૪ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે.મુંબઈ કોરોનાનો હોટસ્પોટ બની ગયો છે.એમાં ખાસ બોરીવલીથી ગોરેગામ વચ્ચે કોરોનાના દરદીની સંખ્યા ઝપાટાથી વધી રહી છે.એવું ચિત્ર દેખાઈ રહ્યું છે.ગત ૧૪ દિવસના સમયગાળામાં બોરીવલીથી ગોરેગામ વચ્ચે સરેરાશ ૧૫૦ ટકાથી વધુનો ઉછાળો જણાયો છે.બોરીવલી,ગોરાઈ,માગાઠાણેમાં ૩૭૭ ટકા,ગોરેગામમાં ૧૫૩ ટકા,કાંદિવલીમાં ૧૬૦ ટકા સંખ્યા વધી છે.
જ્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૪૯૪ કેસ નોંધાયા હતા.અને એક દરદીનું મોત થયું છે.બીજી તરફ ે રાજ્યમાં આજે કોરોનાના ૬૧૪ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે.અને અત્યારે રાજ્યમાં કોરોનાના સક્રીય ૬૭૬૭ દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.મુંબઈ ઉપરાંત થાણેમાં ૧૦૮,નવી મુંબઈમાં ૯૯,કલ્યાણ-ડોમ્બિવલીમાં ૨૧,વસઈ-વિરારમાં ૪૫,પનવેલમાં ૩૯,પુણેમાં ૬૩ દરદી નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.