મુંબઈ તા.17 : તાઉતે વાવાઝોડાના કારણે મુંબઈ-એરપોર્ટ આજે સવારે 11 થી 2 ત્રણ કલાક માટે બંધ રહેશે.તાઉતે વાવાઝોડુ આજે 11-30 કલાકે મુંબઈમાંથી પસાર થશે.આ વાવાઝોડાના આગમન પહેલા મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ શરૂ થયો છે.તાઉતે વાવાઝોડાને પગલે મુંબઈ એરપોર્ટ આજે 11 થી 2 વાગ્યા દરમ્યાન એટલે કે 3 કલાક બંધ રહેશે તો વાવાઝોડાના આગમન દરીયામાં હાઈટાઈડ રહેશે એટલે કે 3 મીટર જેટલા મોજા ઉછળશે.વાવાઝોડાને કારણે બાંદ્રા સી-લીંક પણ બંધ કરી દેવામાં આવ્યો છે.વાવાઝોડાને કારણે મુંબઈમાં એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરાઈ છે.વાવાઝોડાને પગલે મુંબઈ એરપોર્ટ 3 કલાક બંધ રહેવાને કારણે મુંબઈ આવતી ફલાઈટને સુરત ડાઈવર્ટ કરાઈ છે.