By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આગામી રવિવારે આયોજન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આગામી રવિવારે આયોજન
GeneralMumbai

મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આગામી રવિવારે આયોજન

HM News
Last updated: 23/08/2022 12:30 PM
HM News
3 years ago
Share
SHARE

– મહારાષ્ટ્રમાં ધમધમતી ગુજરાતી માધ્યમની શાળાઓ તથા વિધાર્થીઓનો પુરસ્કારોત્સવ

બે વર્ષના અંતરાલ બાદ મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા માતૃભાષાની જીવંત શાળાઓ અને તેમાં ભણેલાં તેજસ્વી તારલાંઓને સન્માનિત કરવા ‘સરસ્વતી સન્માન સમારોહ – ૨૦૨૨’નું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમમાં ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી,ગુજરાતી વિચાર મંચ,શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ,જન્મભૂમિ દૈનિક અને મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન સહયોગી સંસ્થા તરીકે આ ઉપક્રમમાં જોડાયા છે.

કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે માતૃભાષાની શાળામાં પ્રથમ આવનાર તમામ તેજસ્વી તારલાંઓ હાજર રહેશે.આ કાર્યકર્મનું આયોજન રવિવાર, તા. ૨૮ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ બપોરે ૩.૦૦ કલાકથી પંચોલિયા સભાગૃહ,ત્રીજે માળે, ટી.પી. ભાટિયા કૉલેજ, શાંતિલાલ મોદી રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ – ૪૦૦૦૬૭ ખાતે કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ એસ.એસ.સી. બોર્ડ ૨૦૨૨માં ૧૦૦% પરિણામ મેળવનાર માતૃભાષાની શાળાઓ અને માતૃભાષાની શાળામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.માતૃભાષા ગુજરાતીમાં ૯૦ કે તેથી વધુ અને અંગ્રેજીમાં ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવશે સાથે જ ગુજરાતી માધ્યમની શાળાઓમાં બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી/વિદ્યાર્થિનીનું તથા ધોરણ ૧૨માં ગુજરાતી વિષયમાં સૌથી વધુ મેળવનાર વિદ્યાર્થિનીનું પણ સન્માન કરવામાં આવશે.

ઉપરાંત સમારોહમાં લોકપ્રિય ગુજરાતી ગીત સંગીત અને ગરબાની રમઝટ જમાવવા સ્વરકિન્નરી ગ્રુપ મુંબઈ – ભાનુભાઈ વોરા, તૃપ્તિ છાયા તથા અન્ય કલાકારોને પણ આમત્રંણ આપવામાં આવ્યું છે.

સન્માન સમારોહ વિશે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતા જણાવે છે કે “કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધોને કારણે પાછલા બે વર્ષોમાં સન્માન સમારોહનું આયોજન થઈ શક્યું ન હતું.હવે જ્યારે કોરોના કાબૂમાં આવ્યો છે ત્યારે અમે આ વર્ષે ફરી માતૃભાષાના તેજસ્વી તરલાંઓને સન્માનિત કરવા ખૂબ જ ઉત્સાહિત છીએ.દેશ આઝાદીનો અમૃતનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે, તેનો રંગ પણ કાર્યક્રમમાં ઉમેરાશે.”

ઉલ્લેખનીય છે કે મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં ૧૧ વર્ષથી મહારાષ્ટ્રમાં માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહ્યું છે.

વર્ષ 2020માં દ્વિચક્રી વાહનોના અકસ્માતમાં 57,282 લોકોએ ગુમાવ્યો જીવ
દેશમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચુક્યો : વિસ્ફોટ દૂર નથી : દેશને લોકડાઉંન કરો
કમ્યુનિસ્ટ સરકારે દરેક જગ્યાએ હિંદુ મંદિરો ઉપર કબ્જો જમાવ્યો છે : જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા – ડાબેરીઓ બોલ્યાં આ જજ ઝેરીલા છે..
મહારાષ્ટ્ર : CM અને DY.CM એ સોશિયલ મીડિયા પર બદલ્યું DP, સાવરકરનો મુદે્ ગરમાયુ રાજકારણ
સતત બાવીસ દિવસ સુધી ગેંગરેપ થતો રહ્યો, ઓરિસાની સગીરા માબાપ સાથે ઝઘડો થતાં ભાગી હતી
Share This Article
Facebook Email Print
Previous Article લાઉડસ્પીકર બાદ MNSનો `નો ટુ હલાલ` અભિયાન શરૂ કરવાનો હુંકાર, લગાવ્યા આવા આક્ષેપ
Next Article કોલંબિયામાં પ્રથમ વખત ડાબેરી નેતા ગુસ્તાવો પેટ્રો બન્યા રાષ્ટ્રપતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up