મુંબઈ: ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ભણી ધસમસી રહેલા વાવાઝોડા ‘તાઉતે’ થી દેશના વ્યાપારી પાટનગર મુંબઈને બહુ મોટી આફત નહી લાવે તેવી શકયતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.સાંજે સૌરાષ્ટ્ર પર ત્રાટકનારા આ વાવાઝોડુ સવારે 11.30 કલાકે મુંબઈ પરથી પસાર થનાર છે પણ હવામાન ખાતાના અંદાજ મુજબ જે રીતે અત્યંત ખોફનાક સ્થિતિનો ભય રખાતો હતો તેવું બનશે નહી.વાવાઝોડાએ સૌરાષ્ટ્રને જ કેન્દ્રમાં રાખ્યું છે.
દક્ષિણ મુંબઈ સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર હેઠળ 70 કીમીની ઝડપે પવન ફુંકાશે અને વ્યાપકપણે વરસાદ પડશે તો ઉતર મુંબઈ થાણે અને નવી મુંબઈમાં હળવો વરસાદ જ નોંધાશે.વાવાઝોડાની ‘આંખ’ મુંબઈથી 320 કીમી અને પણજીથી 150 કીમી સુધી કેન્દ્રમાં થયેલી છે.આજે સવારે વાવાઝોડુ તાઉતે મુખ્યમંત્રી 170 કીમી દૂર હતું અને તે સમયે 80 કીમીની ગતિએ પવન ફુંકાયો હતો.અગાઉ તેવું અનુમાન હતું કે વાવાઝોડુ મુંબઈથી વધુ નજીક ખસકશે.પણ તે મુખ્યમંત્રી 500 કીમીથી દૂર જ રહ્યું હતું.મુંબઈમાં ગઈકાલે વાવાઝોડાની અસર હેઠળ પાંચ મીમીનો વરસાદ પડયો હતો.