મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા દરદીઓની સંખ્યામાં સતત વધારો થી રહ્યો છે.મહારાષ્ટ્રમાં સળંગ ત્રીજા દિવસે એક હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે.મુંબઈમાં નવા ૭૩૬ કેસ નોંધાયા છે. ગત ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૧૧૩૪ દર્દી મળી આવ્યા હતા.અને ત્રણ દરદીના મોત થયા હતા.જ્યારે ૫૬૩ દર્દી કોરોનાથી મુક્ત બન્યા હતા.રાજ્યની રાજધાની મુંબઈમાં કોરોનાની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે.મુંબઈમા આજે કોરોનાના નવા ૭૩૬ કેસ નોંધાયા છે.જે રાજ્યના કુલ દર્દી પૈકી ૬૦ ટકાથી વધુ મુંબઈમાં દર્દી છે.મુંબઈમાં કોરોનાના સક્રીય દર્દી૩૭૩૫ છે.જે રાજ્યમાં સર્વાધિક સક્રીય દર્દી મુંબઈમાં છે.રાજ્યના કુલ દરદીના ૬૦ ટકા સક્રીય દરદી છે.જોકે આજે એક પણ દરદીનું મોત મુંબઈમાં નથી.મુંબઈ ઉપરાંત થાણેમાં આજે ૭૭,નવી મુંબઈના ૭૧,પુણેમાં ૭૨,મીરા-ભાઇંદરમાં ૩૩, વસઈ-વિરારમાં ૨૨,રાયગઢમાં ૨૩,પનવેલમાં ૨૧,પાલઘરમાં ૧ દરદી નોંધાયા હતા.આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના દરદી રિકવર થવાનું પ્રમાણ વધીને ૯૮.૦૬ ટકા થયું છે. જ્યારે રાજ્યમાં મૃત્યુ દર ૧.૮૭ થયો છે.જ્યારે રાજ્યમાં અત્યારે કોરોનાના સક્રીય દરદી ૫૧૨૭ છે.ઓમિક્રોન વેરિયન્ટના બીએ-૪ અને બીએ-૫ વેરિયન્ટ વેગથી ફેલાતા હોવાનું પણ કહેવામાં આવે છે.