[weather_data]
Breaking News
TRENDING NEWS

મુંબઈ સ્થિત બાબાસાહેબના ઘરે પથ્થર મારો, પ્રકાશ આંબેડકરે કરી શાંતિ જાળવવા અપીલ

[updated_date] [post_views]

Table of Content

મુંબઈ : બંધારણના નિર્માતાઓમાંથી એક ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના મુંબઈ સ્થિત આવાસ રાજગૃહમાં કેટલાક અજાણ્યા લોકોએ તોડફોડ કરી છે. આવાસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.મુંબઈ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે અને અજાણ્યા લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે.

મહારાષ્ટ્રના અનિલ દેશમુખે જણાવ્યું છે કે,મેં પોલીસને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.સાથે જ આરોપીઓની ધરપકડડ કરવા પણ જણાવ્યું છે. દેશમુખે જણાવ્યું છે કે, દાદરમાં આંબેડકરના આવાસ પર કેટલાક અજાણ્યા લોકો દ્વારા કરાયેલ હુમલો નિંદનીય છે.બંગલાના કેરટેકરે પોલીસને જણાવ્યું હતું કે,કેટલાક લોકોએ મંગળવારે સાંજે છ વાગ્યે પરિસરમાં તોડફોડ કરી હતી.રાજ્યના અન્ય મંત્રી જયંતા પાટિલ અને ધનંજય મુંડેએ પણ આ ઘટનાની નિંદા કરી છે.આ ઉપરાંત ડોક્ટર આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે લોકોને શાંતિ જાળવી રાખવા અને રાજગૃહની બહાર ભેગા નહીં થવાની અપીલ કરી છે.

બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના દાદર ખાતે આવેલા નિવાસ સ્થાન, રાજગૃહમાં કેટલાક અજ્ઞાત લોકોએ તોડફોડ કરી છે. હાલ આ ઘરમાં બાબા સાહેબના વંશજ પ્રકાશ આંબેડકર અને આનંદરાજ આંબેડકર રહે છે. બદમાશોએ ઘરના ગાર્ડન અને ફળિયામાં તોડફોડ કરી હતી અને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ કેસની તપાસ માટે આદેશ આપ્યા છે.

ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે, ‘મેં પોલીસને ઘટનાની તપાસ માટે આદેશ આપ્યો છે અને આરોપીઓની તરત જ ધરપકડ કરી લેવામાં આવશે.’ આ તરફ પ્રકાશ આંબેડકરે સમગ્ર ઘટના મામલે લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી છે. પ્રકાશના કહેવા પ્રમાણે હાલ સૌએ શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર છે.

પ્રકાશ આંબેડકરે કરી શાંતિ જાળવવા અપીલ

પ્રકાશ આંબેડકરે જણાવ્યું કે, ‘આ સાચું છે કે બે લોકો રાજગૃહમાં આવ્યા હતા અને તેમણે અન્ય વસ્તુઓની સાથે સીસીટીવી તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે તરત જ આ મામલે સંજ્ઞાન લીધું હતું અને તમામ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓએ યોગ્ય રીતે તેમની ફરજ બજાવી છે. ત્યાં સુધી હું તમામ લોકોને શાંતિ જાળવવા વિનંતી કરૂં છું અને મહેરબાની કરીને સૌ રાજગૃહ પાસે ભેગા ન થશો.’

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles