By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુખ્યમંત્રીએ એવુ કેમ કહ્યું કે, રેમડેસિવીરની વ્યવસ્થા પાટીલે કેવી રીતે કરી એ તો એમને જ પૂછો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > મુખ્યમંત્રીએ એવુ કેમ કહ્યું કે, રેમડેસિવીરની વ્યવસ્થા પાટીલે કેવી રીતે કરી એ તો એમને જ પૂછો
AhmedabadGeneral

મુખ્યમંત્રીએ એવુ કેમ કહ્યું કે, રેમડેસિવીરની વ્યવસ્થા પાટીલે કેવી રીતે કરી એ તો એમને જ પૂછો

HM News
Last updated: 10/04/2021 9:29 AM
HM News
4 years ago
Share
SHARE

મુખ્યમંત્રીની વાત પરથી સ્પષ્ટ દેખાય છે કે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે તેમના અને સીઆર પાટીલ વચ્ચે કોઈ તાલમેલ નથી.જયાં ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે,ત્યાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે રાહત દરે ઈન્જેક્શનની વહેંચી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું

અમદાવાદ :આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે.રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 રથ ઉમેરવામાં આવ્યા છે.ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સીઆર પાટીલે કેવી રીતે કરી એ તેમને જ પૂછો.સરકારમાંથી એકપણ ઈન્જેકશન સીઆર કે ભાજપને નથી આપવામા આવ્યા.સરકાર કોઈપણ ખાનગી વ્યક્તિને સીધા ઈન્જેકશન નથી આપતી, અને આપવાની પણ નથી.સરકારે મંજૂરી આપેલી ખાનગી-સરકારી હોસ્પિટલને વ્યવસ્થા મુજબ ઈન્જેકશન આપવામા આવે છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ મુજબ દરેક નિર્ણય કરવામાં આવે છે.

સુરતમાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે લોકો માટે રેમડેસિવીર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા, તે અંગે સવાલ પૂછતા મુખ્યમંત્રીએ એવુ કહ્યુ કે, એ તો સીઆર ને ખબર, સીઆરને પૂછો. પરંતુ સીઆર પાટીલે પોતે સુરતની ચિંતા કરીને 5000 રેમડેસિવીરની કેવી રીતે વ્યવસ્થા કરી તે પૂછશો તો જવાબ મળશે. સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભાજપે કરી તે અલગ છે.તેનો સરકારની વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી.ટેન્ડરનો ભાવ અને ગુવાહાટીથી જે જથ્થો આવે છે તેના ભાવમાં ફેર છે.સરકાર ઉંચા ભાવે ખરીદી શકે તે મથી.અમે માટે એજન્સી તરીકે કિરણ હોસ્પિટલને મદદ કરી છે.એ હોસ્પિટલ કેવી રીતે અને કોને આપે તેની સાથે સરકારને કંઈ લેવાદેવા નથી.સુરતને સતત ઈન્જેક્શનનો જથ્થો આપી રહ્યાં છે.કિરણ હોસ્પિટલને જે જથ્થો મળ્યો છે તે સરકારે આપેલો છે.

આમ, મુખ્યમંત્રીની વાત પરથી સ્પષ્ટ દેખાય છે કે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે તેમના અને સીઆર પાટીલ વચ્ચે કોઈ તાલમેલ નથી.જયાં ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે,ત્યાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે રાહત દરે ઈન્જેક્શનની વહેંચી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું.તેમણે કહ્યું કે, સરકાર કોરોના પર કન્ટ્રોલ લાવવા કટિબદ્ધ છે.ગયા નવેમ્બરમાં કોરોના પિક પર હતો,તો 1800 થી વધુ કેસ ન હતા. હમણાં 4500 થી વધુ કેસ આવી રહ્યા છે. 15000 થી વધુ બેડ વધાર્યા છે, 6700 થી વધુ ઓક્સિજન બેડ વધાર્યા છે. લોકોને વિન્નતી કરું છે, શક્ય બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો. માસ્ક ફરજિયાત પહેરો.વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા લોકો સમજે. સરકારને માસ્કનો દંડ ઉઘરાવવામાં કોઈ જ રસ નથી.માસ્ક પહેરો,કોઈ દંડ નહિ થાય.હાઇકોર્ટેના આદેશ બાદ માસ્ક મામલે કડક કાર્યવાહી કરવી પડી છે.રેમડેસીવીર ઈન્જેકશનની સતત માંગ છે. સરકાર પૂરો પુરવઠો આપી રહી છે. 3 લાખ નવા ઈન્જેકશનનો ઓર્ડર આપ્યો છે.પણ કોરોનાના દરેક દર્દીને ઈન્જેકશન લેવાની જરૂર નથી.તેનો સ્ટોક કરવો પણ યોગ્ય નથી.નિષ્ણાત તબીબોના માર્ગદર્શન મુજબ કામગીરી થઈ રહી છે.ટેસ્ટીંગ ઉપર પણ બ ભાર મૂક્યો છે.મહત્તમ ટેસ્ટીંગ ના કારણે જ આજે લોકો સંક્રમિત હોવાનું સામે આવી રહ્યું છે.

હીરો મોટો કોર્પના પવન મુંજાલ સમુહ પર આઈટી વિભાગનુ સર્ચ ઓપરેશન
PM મોદીએ ફરી દિલ જીતી લીધું, ચેન્નાઈમાં BJPના દિવ્યાંગ કાર્યકર સાથે લીધેલો ફોટો Twitter પર શેર કરી લખ્યું A Special Selfie
રિષભ પંતના પ્રદર્શનથી નારાજ થઈને રોહિત શર્માએ લીધો ક્લાસ..
કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી PPE કીટ પહેરીને કરશે મતદાન
વડોદરા : છેલ્લા 36 કલાકમાં કોરોના નવા 13 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 86 થઇ,પોઝિટિવ કેસનો આંક 72,438 પર પહોંચ્યો
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર નથી ને ભાજપે 1000 ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું
Next Article Big News : 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદી મામલે સી.આર પાટીલનો મોટો ખુલાસો, જાણો રાજ્ય સરકાર વિશે શું કહ્યું?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up