By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુખ્યમંત્રીની વેરા માફી યોજનાનો લાભ માત્ર કોમર્શીયલ મિલકતોને જ મળશે !!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > મુખ્યમંત્રીની વેરા માફી યોજનાનો લાભ માત્ર કોમર્શીયલ મિલકતોને જ મળશે !!
GandhinagarGeneralGujarat Now

મુખ્યમંત્રીની વેરા માફી યોજનાનો લાભ માત્ર કોમર્શીયલ મિલકતોને જ મળશે !!

HM News
Last updated: 09/06/2020 11:20 AM
HM News
5 years ago
Share
SHARE

– રહેણાંક હેતુની મિલકતને હાલ ૧૦ ટકા વળતર છે તે યથાવત રહેશે: કોમર્શિયલ મિલકતને ૨૦ ટકા વળતર આપવાનું બે-ચાર દિવસમાં શરૂ કરાશે

ગાંધીનગર : કોરોનાનાં કારણે દેશમાં બે માસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે ઘણું આર્થિક નુકસાન લોકોએ વેઠવું પડયું છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગત સપ્તાહે આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ૧૪ હજાર કરોડનું પેેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રહેણાંક હેતુની મિલકતને વેરામાં ૧૦ ટકા અને વાણિજય મિલકતનાં વેરામાં ૨૦ ટકા માફી આપવાની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ રાજકોટમાં સીએમની વેરા માફી યોજનાનો લાભ માત્ર કોમર્શિયલ મિલકતોને મળશે. રહેણાંક હેતુની મિલકતોને વધારાનો એક પણ રૂપિયાનો લાભ મળશે નહીં.

કોર્પોરેશન દ્વારા દર વર્ષે એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને નાણાકિય વર્ષના આરંભે જ વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવે છે.મુખ્યમંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે,૩૧મી જુલાઈ સુધીમાં કરદાતા એડવાન્સ ટેકસ ભરી દેશે તો રહેણાંક હેતુની મિલકતને ૧૦ ટકા મુકિત અને વાણિજય હેતુની મિલકતને ૨૦ ટકા મુકિત આપવામાં આવશે.મહાપાલિકા દ્વારા ૧૦ ટકા મુકિત આપવામાં આવી રહી છે ત્યારે કોમર્શિયલ હેતુની મિલકતને વધારાની ૧૦ ટકાની માફી ચોકકસ મળશે પરંતુ આ યોજનાનો લાભ રાજકોટમાં રહેણાંક હેતુની મિલકતધારકોને મળશે નહીં. શહેરમાં આશરે ૩.૫૦ લાખ રહેણાંક હેતુની અને ૧ લાખ કોમર્શિયલ હેતુની મિલકતો આવેલી છે તેને દર વર્ષે વેરા વળતર યોજના અંતર્ગત આશરે ૨૫ કરોડનું વળતર આપવામાં આવે છે.હવે કોમર્શિયલ હેતુની મિલકતને વધારાનું ૧૦ ટકાનું વળતર આપવાનું થતું હોય કોર્પોરેશનની તિજોરી પર ૫ થી ૬ કરોડ રૂપિયાનો બોજ વધશે.વેરા વળતર યોજના બે માસથી ચાલી રહી છે જેમાં ૫૦ હજારથી વધુ કરદાતાઓએ વેરો ભરપાઈ પણ કરી દીધો છે.

આવા કિસ્સામાં વાણિજય હેતુની મિલકતોએ ૧૦ ટકા વળતરનો લાભ લીધો છે તેઓને વધારાનાં ૧૦ ટકા ક્રેડિટ આપી દેવામાં આવશે અને તેઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે.

આગામી સપ્તાહે નવો સોફટવેર બનાવી મુખ્યમંત્રી વેરા માફી યોજનાનો લાભ આપવાનું શરૂ કરી દેવામાં આવશે. હાલ શહેરમાં આશરે ૧ લાખથી વધુ કરદાતાઓએ મહાપાલિકાની તિજોરીમાં રૂા.૫૨ કરોડ ઠાલવી દીધા છે.અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે,૩૦મી જુન સુધીમાં વેરો ભરનારને ૧૦ ટકા અને મહિલાઓનાં નામે નોંધાયેલી મિલકતમાં ૧૫ ટકા રાહત આપવામાં આવશે.મુખ્યમંત્રીએ ૩૧મી જુલાઈ સુધીની મુદત આપી હોય કોર્પોરેશન દ્વારા એક મહિનો મુદત વધારવા અંગે પણ સતાવાર જાહેરાત કરાશે.

NDAના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ 6 વર્ષમાં પતિ સહિત 5 આપ્તજન ગુમાવ્યા હતા
સુરતના કાપોદ્રા નજીક બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવે એ અગાઉ યુવતીને લોકોએ બચાવી લીધી
બટાટા ગેંગ સાથે સંડોવાયેલા ટપોરીછાપ ઇમેજ ધરાવતા અભિનેતાથી ગેંગસ્ટર બનવા નીકળ્યો એઝાઝ ખાન, NCBએ કરી ધરપકડ
યુટ્યુબ કન્હૈયાલાલના તાલિબાન સ્ટાઇલના સર તન સે જુદા હત્યાકાંડમાં મોહમ્મદ ઝુબેરને લઇ માહિતી કેમ દબાવી રહ્યું છે? વાંચો સંપૂર્ણ ફેક્ટ
સિસ્ટમમાં રોકડ રૂા.26 લાખ કરોડના રેકોર્ડ સ્તરે
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં કોરોનાનો કહેર બરકરાર : કોરોના નવા ૪૭૭ કેસો : રાજ્યમાં સંક્રમણ ના કુલ કેસો ૨૦૫૭૪
Next Article સ્કૂલ-કોલેજ ફી મુદ્દે સુરત કોંગ્રેસ મેદાનમાં : ફી ભરવાનું દબાણ કરે તો કૉંગ્રેસને ફોન કરો, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up