– ચંદીગઢની ઘટનાઃ પતિએ કહ્યું પરિવારમાં સાસરીપક્ષની દખલગીરી ખૂબ છે
ચંદીગઢ : ચંદીગઢમાં હવે એક મુસ્લિમ મહિલા તરફથી પોતાના શીખ પતિ પર ધર્મ પરિવર્તનનું દબાણ કરવાનો કેસ સામે આવ્યો છે.પત્ની પર શીખ ધર્મ અનુસરતા પતિ અને તેના સગીર દિકરાનું ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ ધર્મ અપનાવવાનું દબાણ થતું હોવાનો આરોપ છે.આ મામલે પતિ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરીને પત્ની તથા સસરાપક્ષ સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.આ મામલે સિવિલ કોર્ટના જજ રસવીન કૌરે 36 વર્ષીય શીખ વ્યક્તિની ફરિયાદ પર બચાવ પક્ષોને બુધવારે નોટિસ ઈશ્યૂ કરી છે અને આગામી સુનાવણી માટે 20 જુલાઈ નક્કી કરી છે.વકીલ દીક્ષિત અરોડા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં શીખ વ્યક્તિએ કહ્યું કે હું ધર્મથી શીખ છું, જ્યારે મારી પતિ મુસ્લિમ છે.તેમણે વધુમાં એમ પણ કહ્યું કે હું મુસ્લિમ મહિલાને વર્ષ 2008માં મળ્યો હતો.અમારી વચ્ચે દોસ્તી થઈ અને પછી અમે લગ્ન કર્યા હતા.જોકે, શરુઆતમાં મહિલાએ લગ્નનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો,પરંતુ મેં આશ્વાસન આપ્યું કે તારી ધાર્મિક આસ્થામાં હું કોઈ દખલગીરી કરીશ નહીં.એટલે એ માની અને 2008માં શીખ રીત-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.અરજીમાં એમ પણ ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો છે કે લગ્નના પ્રથમ દિવસથી મારી પત્ની અને સસરાપક્ષના લોકો મને ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતા હતા.