વોશિંગ્ટન, તા. 04 મે 2022, બુધવાર : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, દુનિયામાં સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું માનવું છે કે, 21મી સદીમાં લોકશાહી ન જાળવી શકાય.બાયડને અલબામાના ‘લોકહીડ માર્ટિન કાઉંટી ઓપરેશન’ માં મંગળવારે કહ્યું હતું કે, આપણે ઈતિહાસ પલટાવાના વળાંક પર છીએ.આ દરેક છઠ્ઠી અથવા આઠમી પેઢીમાં થાય છે જ્યાં વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાય છે પરંતુ આપણે નિયંત્રણમાં રહેવું પડે છે.
તેમણે કહ્યું કે, મિત્રો દુનિયામાં સરમુખત્યારશાહી અને લોકતંત્રની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.ચીનના નેતા શી જિનપિંગ જેમની સાથે મારી વાત થઈ અને તેમની સાથે મે દુનિયાના કોઈ અન્ય નેતાઓની તુલનામાં વધુ સમય વિતાવ્યો છે. તેમની સાથે વ્યક્તિગત અને ફોન પર લગભગ 78 કલાક વિતાવ્યા છે અને તેમનું કહેવું છે કે, 21મી સદીમાં લોકતંત્રને ન જાળવી શકાય.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ મજાક નથી. તેને જાળવી ન શકાય તેનું કારણ છે કે, વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે.લોકશાહી સંમતિથી બને છે અને સર્વસંમતિ આવવી મુશ્કેલ છે, પરંતુ માત્ર એટલા માટે કે સરમુખત્યારશાહી લાવી શકાતી નથી આવું થવાનું નથી, જો થશે તો આખી દુનિયા બદલાઈ જશે.બાઈડને લોકોને કહ્યું કે, તેઓ આ વાતને શક્ય બનાવી રહ્યા છે કે, યુક્રેનના લોકો પોતાનું રક્ષણ જાતે કરી શકે, અમેરિકાને યુદ્ધમાં શામેલ થવાનું જોખમ ન ઉઠાવવું પડે.તેમણે લોકહીડના કર્મચારીઓને જણાવ્યું કે, અમેરિકાએ યુક્રેનને 5500થી વધુ જેવેલિન ટેન્ક વિરોધી મિસાઈલો આપવાનું વચન આપ્યું હતું. લોકહીડ કંપની આ મિસાઈલોનું નિર્માણ કરે છે.