કોરોના મુદ્દે મોદી પર થઈ રહેલા પ્રહારોને કોમવાદી રંગ આપવા જતાં ભાજપ ઉંધા માથે પછડાયો છે.ટ્વિટરે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કરેલી ટ્વિટને ‘મેનિપ્યુલેટેડ’ ગણાવી છે.પાત્રાની ટ્વિટને છળ કરીને તોડી-મરોડીને રજૂ કરાયેલી ગણાવાઈ છે. મતલબ કે, પાત્રાએ કોંગ્રેસે ‘ટૂલકિટ’ બનાવી હોવાનું હળાહળ જૂઠાણું ચલાવેલું.
ભાજપે આક્ષેપ કરેલો કે, મોદીને બદનામ કરવા અને તેમની ઈમેજ ખરાબ કરવા માટે કોંગ્રેસે ‘ટૂલકિટ’ બનાવી છે.પાત્રાએ ૧૮ મેના દિવસે ટ્વિટ કરીને કોંગ્રેસની કહેવાતી ‘ટૂલકિટ’નો ડોક્યુમેન્ટ મૂક્યો હતો.પાત્રાએ આક્ષેપ મૂક્યો હતો કે, કોરાનાના રોગચાળાના સમયમાં કોંગ્રેસ ગંદું રાજકારણ રમી રહી છે.
પાત્રાએ સૌમ્યા વર્મા નામની કોંગ્રેસની કાર્યકર ‘ટૂલકિટ’ પાછળ હોવાનો આક્ષેપ કર્યો હતો.જે.પી. નડ્ડા અને સ્મૃતિ ઈરાની સહિતના ભાજપના નેતાઓએ આ ટ્વિટને રી-ટ્વિટ કરીને કોંગ્રેસ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.વિશ્લેષકોના મતે, ભાજપની આ હરકત આઘાતજનક છે.દેશનો સત્તાધારી પક્ષ આ રીતે જૂઠ ચલાવીને લોકોને ગેરમાર્ગે દોરે તેનાથી શરમજનક વાત બીજી કોઈ ના હોઈ શકે.