મોદી સરકારના સંપૂર્ણ બજેટથી ઘર ખરીદનારાઓને મળશે રાહત !

HM News
3 Min Read

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બજેટ રજૂ કરશે,અને ઘર ખરીદનારાઓથી લઈને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સુધી, નાણામંત્રી પાસે એક જ માંગ છે કે મોંઘા EMIમાંથી મુક્તિ મળે અને ટેક્સનો બોજ ઓછો થાય.ભારત,દક્ષિણ પૂર્વ એશિયા,મધ્ય પૂર્વ અને આફ્રિકા માટે CBREના અધ્યક્ષ અને CEO અંશુમન મેગેઝીને બજેટમાં રિયલ એસ્ટેટને લગતા અનેક સૂચનો આપ્યા છે.

1. આવકવેરા કાયદામાં 80C હેઠળ,હોમ લોનની મૂળ રકમ પર ઉપલબ્ધ કર મુક્તિની મર્યાદા રૂ.1.50 લાખથી વધારીને રૂ.4 લાખ કરવી જોઈએ. હોમ લોનની મૂળ રકમ પર ઉપલબ્ધ કર મુક્તિને 80C થી અલગ કરવાની પણ માંગ કરવામાં આવી છે.કારણ કે 80C હેઠળ રૂ.1.50 લાખ સુધીની કર મુક્તિમાં હોમ લોનની મૂળ રકમ ઉપરાંત PPF,EPF, ULIPમાં રોકાણનો સમાવેશ થાય છે.

2. હોમ લોન લેનારાઓને પ્રોત્સાહિત કરવા માટે, હોમ લોનના વ્યાજની કપાત મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને વાર્ષિક 4 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે.આનાથી વધુને વધુ લોકો ઘર ખરીદવા માટે પ્રેરિત થશે.

રિયલ એસ્ટેટમાં 2022માં પ્રગતિ થઈ છે અને આ ટ્રેન્ડ 2023માં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો અન્ય અર્થતંત્રો કરતાં વધુ મજબૂત છે.વિકાસની ગતિ ભલે ધીમી પડી શકે,પરંતુ સ્થાનિક માંગ અને ખાનગી ક્ષેત્રના રોકાણને કારણે આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહેશે.

5 લાખ સુધીના વ્યાજ પર ટેક્સ છૂટ

રિયલ એસ્ટેટ બિલ્ડર્સ ફેડરેશન CREDAIએ પણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં હોમ લોન પર કર કપાતની મર્યાદા હાલના રૂ.2 લાખથી વધારીને 5 લાખ કરવા વિનંતી કરી છે. CREDAIનું કહેવું છે કે મોંઘવારી,રેપો રેટમાં સતત વધારાને કારણે લોકોના બજેટને અસર થઈ છે,ત્યારબાદ મોંઘી EMIને કારણે હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ મર્યાદાને અસર થઈ છે.બિલ્ડરોએ નાણામંત્રીને એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારવા અને રિયલ એસ્ટેટ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCG ટેક્સ) ઘટાડવાની પણ માંગ કરી છે.

એફોર્ડેબલ હાઉસિંગના વ્યાપમાં ફેરફાર

એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારવાની માગણી કરતાં CREDAIએ કહ્યું છે કે નોન-મેટ્રો શહેરોમાં રૂ.75 લાખ અને મેટ્રોમાં રૂ 1.50 કરોડના ઘરોને એફોર્ડેબલ હાઉસિંગની શ્રેણીમાં સામેલ કરવા જોઈએ.આ સિવાય નોન-મેટ્રોમાં એફોર્ડેબલ હાઉસની સાઈઝ વધારીને 90 મીટર અને નોન-મેટ્રો સિટીમાં 120 મીટર કરવી જોઈએ. CREDAI અનુસાર, ઘર બનાવવાની કિંમતમાં થયેલા વધારા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર જરૂરી છે જેનાથી ઘર ખરીદનારાઓને ફાયદો થશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *