દેશના અર્થતંત્રમાં તેજી લાવવા અને રોજગારી ઉભી કરવા માટે મોદી સરકારે ૫૦ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કર્યું છે.આ પ્રોજેક્ટ તાકીદના ધોરણે હાથ ધરીને ઝડપથી પૂરા કરવા માટે સંબધિત મંત્રાલયોને પીએમઓ તરફથી આદેશ આપી દેવાયો છે.પ્રોજેક્ટમાં કોઈ અડચણ હોય તો તેની જાણ અઠવાડિયામાં કરવા માટે પણ તમામ મંત્રાલયને તાકીદ કરાઈ છે.
મોદી સરકાર આ ૫૦ પ્રોજેક્ટ મોટી સંખ્યામાં રોજગારી ઉભી કરશે
મોદી પહેલાં શહેરી વિસ્તાર માટે અલગ અર્બન એમ્પ્લોયમેન્ટ યોજના લાવવા માંગતા હતા પણ પછી તેમણે એ વિચાર માંડી વાળીને ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કર્યું છે. મોદી સરકાર આ ૫૦ પ્રોજેક્ટ મોટી સંખ્યામાં રોજગારી ઉભી કરશે એવી આશા રાખે છે.
મોદી સરકારની આ ક્વાયત નવી બોટલમાં જૂનો દારૂ
જો કે સરકારી સૂત્રોનું કહેવું છે કે,મોદી સરકારની આ ક્વાયત નવી બોટલમાં જૂનો દારૂ જેવી છે. મોદી સરકારે જે પ્રોજેક્ટ હાથ પર લેવા કહ્યું છે તે બધા જૂના છે. નવી મુંબઈ એરપોર્ટ,વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે,અમદાવાદ મેટ્રો રેલ સહિતના પ્રોજેક્ટનો તેમાં સમાવેશ કરાયો છે એ જોતાં અર્થતંત્રમાં જોરદાર તેજીની આશા રાખવા જેવી નથી.