નવી દિલ્હી: ખેડૂતોને હવે તેમની શેરડીના પાક માટે વધુ પૈસા મળશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કેબિનેટ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે.સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે શેરડીની FRP (Fair & Remunerative Price) ને 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવા માટે મંજૂરી આપી દીધી છે.અત્રે જણાવવાનું કે FRP એ મૂલ્ય હોય છે જે કિંમતે ખાંડની મીલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે.આ ઉપરાંત Sugar Year દર વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થઈને આગામી વર્ષ 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે.
ખેડૂતોને મળશે શેરડીનો વધુ ભાવ
ગત વર્ષ ખરીદ ભાવમાં વધારો ન થવાના કારણે શેરડીના ખેડૂતો ખુબ નારાજ થયા હતાં.પરંતુ આ વર્ષે મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ખેડૂતોને તેમના શેરડીના પાક પર 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળશે.અત્રે જણાવવાનું કે FRP ઉપરાંત રાજ્ય સરકાર પણ પોતાના તરફથી ખેડૂતો માટે શેરડીના ભાવ નક્કી કરે છે.જેને SAP (State Advised Price) કહે છે.ગત વર્ષ 2019-20 માટે ઉત્તર પ્રદેશ સરકારે શેરડીના SAP 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા હતાં.
સુગર મીલોની મુશ્કેલીઓ વધશે
કેબિનેટ દ્વારા FRP વધારવાના નિર્ણયથી ખેડૂતોનું ચોક્કસપણે ભલુ થશે પરંતુ તેનાથી સુગર મીલોને ઝટકો લાગ્યો છે.કારણ કે શેરડીના ખેડૂતોના લગભગ 20 હજાર કરોડ રૂપિયા સુગર મીલો પર બાકી લેણા છે.આવામાં FRP વધારવાનો કેટલો ફાયદો ખેડૂતોને મળશે તે કહેવું મુશ્કેલ છે.