નવી દિલ્હી,તા.21 : ટૂલકિટ કેસને લઈને ભાજપ-કોંગ્રેસ આમને સામને છે,આ વચ્ચે ટ્વીટરે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રના ટ્વીટને મેનિપ્યુલેટેડ મીડિયા ગણાવ્યું હતું.એટલે કે તેમના દ્વારા કરવામાં આવેલ દાવો તથ્યાત્મક રૂપે સાચો નથી. ટ્વીટરના આ એક્શન બાદ કોંગ્રેસ ભાજપ પર વધુ હુમલાઓ કરી રહી છે.તો હવે ટૂલકિટ મામલે સંચાર મંત્રાલયે ટવીટરના એક્શન પર વાંધો વ્યક્ત કર્યો છે સાથે જ કહ્યું છે કે તે તપાસ પ્રક્રિયામાં ન પડે.
કેન્દ્ર સરકારના કોરોના પ્રયાસોને બદનામ કરવાને લઈને સંબિત પાત્રાએ કોંગ્રેસ દ્વારા ‘ટૂલકિટ’નો સહારો લેવાનો દાવો કરો હતો.પરંતુ ટ્વીટરે સંબિત પાત્રાના આ ટ્વીટને ‘મેનિપ્યુલેટેડ મીડિયા’ ગણાવ્યું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે ટ્વીટરને મેનિપ્યુલેટેડ ટેગ હટાવવા કહ્યું છે કારણકે સમગ્ર મામલો કાયદા અમલીકરણ એજન્સી પાસે તપાસમાં છે ક્ધટેન્ટની સત્યતાની તપાસ એજન્સી કરશે. ન કે ટ્વીટર. એટલે ટ્વીટરે તપાસ પ્રકારીયામાં દખલ ન દેવી જોઈએ.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્વીટર પોતાનો નિર્ણય ન સંભળાવી શકે જયારે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.ટ્વીટર દ્વારા આ રીતના ક્ધટેન્ટને મોડરેશનમાં નાખવું ‘મધ્યસ્થ’ તરીકે તેની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે.મંત્રાલયે ટ્વીટરને આપેલ પોતાના સંદેશમાં કહ્યું છે કે સંબંધિત પક્ષોમાંથી એક કાયદા અમલીકરણ એજન્સી સામે ટૂલકિટની સત્યતા પર સવાલ ઉઠાવતા ફરિયાદ કરી છે અને તેની તપાસ ચાલી રહી છે.
સરકારે જણાવ્યું છે કે જયારે એજન્સી ટૂલકિટની સચ્ચાઈ પર તપાસ કરી છે,ત્યારે ટ્વીટરે આ મામલે એક તરફી નિષ્કર્ષ કાઢીને મનસ્વી રીતે તેને ‘મેનિપ્યુલેટેડ મીડિયા’ ગણાવી દીધું છે.ટ્વીટર દ્વારા આ રીતે ટેગિંગ પૂર્વ નિર્ધારિત,પૂર્વગ્રાહી અને એજન્સી દ્વારા તપાસને રંગ આપવાનું એક જાણીજોઈને કરવામાં આવેલ પ્રયાસ હોય તેમ લાગી રહ્યું છે.મંત્રાલયે ટ્વીટરને રીતની એકતરફી કાર્યવાહીને નિષ્પક્ષ તપાસ પ્રક્રિયાને પ્રભાવિત કરવાનું કાવતરું ગણાવ્યું છે.