By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદી સરકારે ટ્વિટરની ‘ચકલી’ને ફફડાવી નાંખી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોદી સરકારે ટ્વિટરની ‘ચકલી’ને ફફડાવી નાંખી
GeneralNational

મોદી સરકારે ટ્વિટરની ‘ચકલી’ને ફફડાવી નાંખી

HM News
Last updated: 22/05/2021 8:21 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.21 : ટૂલકિટ કેસને લઈને ભાજપ-કોંગ્રેસ આમને સામને છે,આ વચ્ચે ટ્વીટરે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રના ટ્વીટને મેનિપ્યુલેટેડ મીડિયા ગણાવ્યું હતું.એટલે કે તેમના દ્વારા કરવામાં આવેલ દાવો તથ્યાત્મક રૂપે સાચો નથી. ટ્વીટરના આ એક્શન બાદ કોંગ્રેસ ભાજપ પર વધુ હુમલાઓ કરી રહી છે.તો હવે ટૂલકિટ મામલે સંચાર મંત્રાલયે ટવીટરના એક્શન પર વાંધો વ્યક્ત કર્યો છે સાથે જ કહ્યું છે કે તે તપાસ પ્રક્રિયામાં ન પડે.

કેન્દ્ર સરકારના કોરોના પ્રયાસોને બદનામ કરવાને લઈને સંબિત પાત્રાએ કોંગ્રેસ દ્વારા ‘ટૂલકિટ’નો સહારો લેવાનો દાવો કરો હતો.પરંતુ ટ્વીટરે સંબિત પાત્રાના આ ટ્વીટને ‘મેનિપ્યુલેટેડ મીડિયા’ ગણાવ્યું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે ટ્વીટરને મેનિપ્યુલેટેડ ટેગ હટાવવા કહ્યું છે કારણકે સમગ્ર મામલો કાયદા અમલીકરણ એજન્સી પાસે તપાસમાં છે ક્ધટેન્ટની સત્યતાની તપાસ એજન્સી કરશે. ન કે ટ્વીટર. એટલે ટ્વીટરે તપાસ પ્રકારીયામાં દખલ ન દેવી જોઈએ.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્વીટર પોતાનો નિર્ણય ન સંભળાવી શકે જયારે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.ટ્વીટર દ્વારા આ રીતના ક્ધટેન્ટને મોડરેશનમાં નાખવું ‘મધ્યસ્થ’ તરીકે તેની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે.મંત્રાલયે ટ્વીટરને આપેલ પોતાના સંદેશમાં કહ્યું છે કે સંબંધિત પક્ષોમાંથી એક કાયદા અમલીકરણ એજન્સી સામે ટૂલકિટની સત્યતા પર સવાલ ઉઠાવતા ફરિયાદ કરી છે અને તેની તપાસ ચાલી રહી છે.

સરકારે જણાવ્યું છે કે જયારે એજન્સી ટૂલકિટની સચ્ચાઈ પર તપાસ કરી છે,ત્યારે ટ્વીટરે આ મામલે એક તરફી નિષ્કર્ષ કાઢીને મનસ્વી રીતે તેને ‘મેનિપ્યુલેટેડ મીડિયા’ ગણાવી દીધું છે.ટ્વીટર દ્વારા આ રીતે ટેગિંગ પૂર્વ નિર્ધારિત,પૂર્વગ્રાહી અને એજન્સી દ્વારા તપાસને રંગ આપવાનું એક જાણીજોઈને કરવામાં આવેલ પ્રયાસ હોય તેમ લાગી રહ્યું છે.મંત્રાલયે ટ્વીટરને રીતની એકતરફી કાર્યવાહીને નિષ્પક્ષ તપાસ પ્રક્રિયાને પ્રભાવિત કરવાનું કાવતરું ગણાવ્યું છે.

ભારતે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું, ‘માટી બચાવો આંદોલન’ કાર્યક્રમમાં PM મોદી
મહારાષ્ટ્રમાં મકાનમાલિકો ૩ મહિના સુધી ભાડુઆત પાસે નહીં માંગી શકે ભાડુ
BJP પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલે કેશુબાપાને મળીને આશિર્વાદ લીધા
જોળવામાં નંણદ ભાભી બાખડયા બંનેની સામસામે ફરિયાદ
બળવાખોર MLAને મનાવવા બેંગ્લોર ગયેલા દિગ્વિજયને પોલીસે પકડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધવિરામ, હમાસનો જીતનો દાવો
Next Article ધડાકો : ભાજપ એ ના ભૂલે કે અમારી પાસે હનીટ્રેપ કાંડની ઓરિજિનલ કોપી છે, હવે MPમાં શિવરાજ ભરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up