By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદી સરકારે લેવુ પડશે અધધ 1.58 લાખ કરોડનું ઉધાર, જાણો શું છે કારણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોદી સરકારે લેવુ પડશે અધધ 1.58 લાખ કરોડનું ઉધાર, જાણો શું છે કારણ
GeneralNational

મોદી સરકારે લેવુ પડશે અધધ 1.58 લાખ કરોડનું ઉધાર, જાણો શું છે કારણ

HM News
Last updated: 26/05/2021 9:45 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યોને વળતર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા માટે વસ્તુ તથા સેવા કર (GST) પર એક પેનલ શુક્રવારે બેઠક કરશે.સૂત્રો અનુસાર,દેશભરમાં ઉપભોગ કર સંગ્રહમાં કમીના કારણે રાજ્યોને તેના મહેસૂલ નુકસાનની ભરપાઇ માટે ભારત સરકારને સતત બીજા વર્ષે વધુ ઉધાર લેવાની જરૂર પડી શકે છે.નાણાકીય વર્ષમાં વધારાનાં ઉધારની જરૂરિયાત 1.58 ટ્રિલિયન રૂપિયા (21.7 બિલિયન ડોલર) થવાનો અંદાજ છે.જણાવી દઇએ કે 28મેએ GST કાંઉસિલની બેઠક થવા જઇ રહી છે.

સરકાર 1.1 ટ્રિલિયન રૂપિયા એકઠા કરશે

એક રિપોર્ટ અનુસાર, રાજ્યોને ચુકવવામાં આવનાર કુલ રકમ 2.7 ટ્રિલિયન રૂપિયા છે, સરકાર 1.1 ટ્રિલિયન રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.જો કે આ વિશે નાણા મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવતા કોઇ જવાબ નથી આપવામાં આવ્યો. જણાવી દઇએ કે આ રકમ તે વળતરનો હિસ્સો છે જેને કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી GSTની શરૂઆતના કારણે કોઇ પણ મહેસૂલ હાનિ માટે રાજ્યોને ચુકવણી કરવા પર સહમતિ વ્યક્ત કરી.જો કે, દુનિયાની બીજી લહેરના કારણે થયેલી આર્થિક મંદીથી ટેક્સ કલેક્શનને નુકસાન પહોંચ્યુ છે.તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર તેને ચુકવવા માટે વધારાનું ઉધાર લઇ શકે છે.

Barclays એ વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો

જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેરની અસર ઇકોનોમી પર પણ જોવા મળી રહી છે.બ્રિટિશ બ્રોકરેજ ફર્મ Barclays એ નાણાકીય વર્ષ 2021-22ના જીડીપી ગ્રોથના અંદાજમાં 0.80 ટકાની કપાત કરી છે.બાર્કલેજના અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય જીડીપી 9.2 ટકાના દરે વધશે.બ્રિટિશ બ્રોકરેજ ફર્મે ભારતીય જીડીપી ગ્રોથના અંદાજમાં આ કપાત કોરોના મહામારીની બીજી લહેરના પગલે કરી છે.બાર્કલેજનું કહેવું છે કે બીજી લહેર અંદાજ કરતાં વધુ ખતરનાક નીકળી. Barclaysએ આ મહિનામાં બીજી વાર જીડીપી ગ્રોથનું અનુંમાન ઘટાડ્યુ છે.તેની પહેલા બાર્કલેજે તેને 3મેએ 11 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યુ હતું.

પાટીદારો વહાલા ને અમે દવલા?
પાકિસ્તાનને ગુગલ અને ફેસબુકે આપી આ ધમકી
અમદાવાદમાં 27 વર્ષના દીકરાની માતા પ્રેમમાં પડી, પરિવારને ખબર પડતાં સંબંધ કાપ્યો તો પ્રેમી ઉશ્કેરાયોને થયું એવું કે જાણીને ચોંકી જશો…..
ચીને વિશ્વયુદ્ઘની તૈયારી શરૂ કરી? : સૈન્યને અપાર શકિત આપતો કાયદો ઘડાયો
વાઇબ્રન્ટ ગુજરાતના કૃષિ ખાતામાં 300 કરોડનું વાઇબ્રન્ટ કૌભાંડ : મનીષ ભારદ્વાજની બદલી
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાની બીજી-લહેરમાં 577 બાળકો અનાથ થયાં : ઇરાની
Next Article હાઈકોર્ટે પોલીસ કમિશ્નરનો ઉધડો લઈ લીધો : માસ્ક વગર રેલી કરતા અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up