રાજ્યોને વળતર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા માટે વસ્તુ તથા સેવા કર (GST) પર એક પેનલ શુક્રવારે બેઠક કરશે.સૂત્રો અનુસાર,દેશભરમાં ઉપભોગ કર સંગ્રહમાં કમીના કારણે રાજ્યોને તેના મહેસૂલ નુકસાનની ભરપાઇ માટે ભારત સરકારને સતત બીજા વર્ષે વધુ ઉધાર લેવાની જરૂર પડી શકે છે.નાણાકીય વર્ષમાં વધારાનાં ઉધારની જરૂરિયાત 1.58 ટ્રિલિયન રૂપિયા (21.7 બિલિયન ડોલર) થવાનો અંદાજ છે.જણાવી દઇએ કે 28મેએ GST કાંઉસિલની બેઠક થવા જઇ રહી છે.
સરકાર 1.1 ટ્રિલિયન રૂપિયા એકઠા કરશે
એક રિપોર્ટ અનુસાર, રાજ્યોને ચુકવવામાં આવનાર કુલ રકમ 2.7 ટ્રિલિયન રૂપિયા છે, સરકાર 1.1 ટ્રિલિયન રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરશે.જો કે આ વિશે નાણા મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવતા કોઇ જવાબ નથી આપવામાં આવ્યો. જણાવી દઇએ કે આ રકમ તે વળતરનો હિસ્સો છે જેને કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી GSTની શરૂઆતના કારણે કોઇ પણ મહેસૂલ હાનિ માટે રાજ્યોને ચુકવણી કરવા પર સહમતિ વ્યક્ત કરી.જો કે, દુનિયાની બીજી લહેરના કારણે થયેલી આર્થિક મંદીથી ટેક્સ કલેક્શનને નુકસાન પહોંચ્યુ છે.તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર તેને ચુકવવા માટે વધારાનું ઉધાર લઇ શકે છે.
Barclays એ વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો
જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેરની અસર ઇકોનોમી પર પણ જોવા મળી રહી છે.બ્રિટિશ બ્રોકરેજ ફર્મ Barclays એ નાણાકીય વર્ષ 2021-22ના જીડીપી ગ્રોથના અંદાજમાં 0.80 ટકાની કપાત કરી છે.બાર્કલેજના અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય જીડીપી 9.2 ટકાના દરે વધશે.બ્રિટિશ બ્રોકરેજ ફર્મે ભારતીય જીડીપી ગ્રોથના અંદાજમાં આ કપાત કોરોના મહામારીની બીજી લહેરના પગલે કરી છે.બાર્કલેજનું કહેવું છે કે બીજી લહેર અંદાજ કરતાં વધુ ખતરનાક નીકળી. Barclaysએ આ મહિનામાં બીજી વાર જીડીપી ગ્રોથનું અનુંમાન ઘટાડ્યુ છે.તેની પહેલા બાર્કલેજે તેને 3મેએ 11 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યુ હતું.