કોરોના વાયરસ મહામારી દરમિયાન મોદી સરકારે આર્થિક મદદની ઘોષણા કરી છે.આ અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાંખવાની છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના (PKSY) અંતર્ગત આગામી મહિને ખેડૂતોના ખાથામાં પૈસા ટ્રાંસફર થઇ જશે.
આવી રીતે જાણો સ્ટેટસ
આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.અત્યાર સુધી આ સ્કિમ દ્વારા 10 કરોડથી વધારે ખેડૂતોને જોડવામાં આવ્યા છે.1 ઓગસ્ટે સરકાર છેલ્લો હપ્તો ટ્રાંસફર કરવાનું શરૂ કરશે.જો નવા નાણાકીય વર્ષમાં તમે પણ અરજી કરી છે તો એ જાણવું જરૂરી છે કે,તમારી અરજીનું સ્ટેટસ શું છે. તેની સંપૂર્ણ જાણકારી સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરવામાં આવી રહી છે.અહિં તમે તમારૂ સ્ટેટસ જાણી શકો છો.
આવી રીતે ચેક કરો પોતાનું નામ
સૌથી પહેલા તમારે જોવું જોઇએ કે,ક્યાંય કોઇ ખોટી જાણકારી તો આપી દીધી નથી ને? ફાર્મર કોર્નર પર ક્લિક કર્યા બાદ Beneficiary status પર ક્લિક કરો. જેના પછી ત્યાં આદાર નંબર, એકાઉન્ટ નંબર અને ફોન નંબરને વિકલ્પ મળશે. અહિં તમે જોઇ શક્શો કે તમે આપેલી જાણકારી સાચી છે કે ખોટી.જો ખોટી હોય તો તમે તેને યોગ્ય કરાવી શકો છો.જો તમારી અરજી કોઇ ડોક્યૂમેન્ટ (આધાર, મોબાઇલ નંબર અથવા બેંક ખાતું)ના કારણે રોકાઇ ગયુ છે તો તે ડોક્યૂમેન્ટ પણ ઓનલાઇન અપલોડ કરી શકો છો.
આ યોજનાનો લાભ માત્ર એવા ખેડૂતોને મળે છે,જેમણે યોજના માટે અરજી કરી છે.જો તમે પણ અરજી કરી છે તો લાભાર્થીઓની યાદીમાં તમારૂ નામ ચકાસી શકો છો.હવે ઓનલાઇન પણ તમે યાદીમાં તમારૂ નામ ચેક કરી શકો છો.પીએણ કિસાન સન્માન નિધિ યોજના 2020ની નવી યાદી pmkisan.gov.in પર ચેક કરી શકો છો.