તબલિગી જમાતના મરકજ મામલે દિલ્લી પોલિસ આજે ચાર્જશીટ દાખલ કરશે.20 દેશોના 83 વિદેશીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. બતાવાઈ રહ્યું છે કે ચાર્જશીટમાં મરકજ મેનેજમેન્ટની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તબલીગી જમાતના વડા મૌલાના સાદના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.દિલ્લી પોલિસ તરફથી સાઉદી અરબના 10,ચીનના 7,અમેરિકાના 5,યુકેના 3,સુદાનના 6,ફિલિપિન્સના 6,બ્રાઝિલના 8 અને અફઘાનિસ્તાનના 4 સહિત કુલ 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ ત્રણ અલગ અલગ ધારાઓ – કલમોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. તેમના પર ફોરેનર એક્ટ, એપેડેમિક ડિસીસ એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમો લાગુ કરવામાં આવશે.
તમામના વિઝા ફોર્મમાં નિઝામુદ્દીન સ્થિત જમાતની મરકજનું એડ્રેસ
આ ચાર્જશીટથી મૌલાના સાદની મુશ્કેલીઓમાં વધારો થશે,કારણ કે જે વિદેશી જમાતિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ રહી છે તે તમામના વિઝા ફોર્મમાં નિઝામુદ્દીન સ્થિત જમાતની મરકજનું એડ્રેસ આપવામાં આવ્યું હતું.અર્થાત્ તેઓ વિદેશથી મરકજના કાર્યક્રમમાં જ ભાગ લેવા માટે આવ્યા હતા. પૂછપરછમાં જમાતીઓએ ખુલાસો પણ કર્યો છે કે,20 માર્ચ પછી મરકજમાં રોકાવા માટે મૌલાના સાદે જ કહ્યું હતું.તમામ વિદેશી જમાતિઓને પહેલા 41 ની નોટિસ આપીને તપાસમાં શામેલ કરવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.જણાવવામાં આવી રહ્યું છે કે 943 વિદેશી જમાતિઓથી પૂછપરછ થઈ હતી અને તે બધા સામે વારાફરતી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પરંતુ હાલમાં 20 દેશોના 83 વિદેશી નાગરિકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.ક્રાઇમ બ્રાંચના જણાવ્યા મુજબ,દરેક દેશમાં વિદેશી નાગરિકો સામે વ્યક્તિગત ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.