By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યશવંતરાય નાટયગૃહ રિપેરીંગની ગ્રાન્ટ મંજુર કરાઇ હોવા છતાં ટેન્ડરીંગ હજુ બાકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યશવંતરાય નાટયગૃહ રિપેરીંગની ગ્રાન્ટ મંજુર કરાઇ હોવા છતાં ટેન્ડરીંગ હજુ બાકી
GeneralGujarat Now

યશવંતરાય નાટયગૃહ રિપેરીંગની ગ્રાન્ટ મંજુર કરાઇ હોવા છતાં ટેન્ડરીંગ હજુ બાકી

HM News
Last updated: 16/05/2022 5:52 AM
HM News
3 years ago
Share
SHARE

ભાવનગર : શહેરની મધ્યમાં આવેલ કલા રસિકો માટે મહત્વનું સ્થાન ધરાવતું યશવંતરાય નાટયગૃહ રિનોવેશન બાદ વાવાઝોડામાં થયેલ નુકસાની અને આંતરિક ખામીઓને કારણે છેલ્લા બે વર્ષથી બંધ હોય જેના રિપેરીંગ માટે પણ અનેક રજૂઆત બાદ ૯૨ લાખને મંજુરી મળી હતી જેમાના ૫૦ લાખ જમા અપાયા બાદ પણ હાલ ટેન્ડરીંગ પ્રક્રિયા બાકી હોવાનું જણાયું છે.

ખીસ્સાને પરવડે તેવું કલા રસિકો માટેનું યશવંતરાય નાટયગૃહને પુનઃ ધમધમતું કરવા કલાકારો દ્વારા દર વખતે રજૂઆતો અને લાંબા સમયની મંજીલ કાપવી પડે છે.અગાઉના કાર્યકાળમાં અનેક જગ્યાએથી ક્ષતિગ્રસ્ત બન્યા બાદ લાખોના ખર્ચે નવો લુક અને ઓપ અપાયો હતો. જો કે ત્યારબાદ ટૂંકા સમયગાળામાં જ છત પરથી પાણી પડવું, સિલીંગ ઉખડી જવી વગેરે ક્ષતિઓ થવા લાગી જે દરમિયાન ટૌટે વાવાઝોડાએ ખાના-ખરાબી સર્જી કંપાઉન્ડ વોલ, સ્ટ્રીટ લાઇટ વગેરેને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.જેના રિપેરીંગ માટે સ્થાનિક કચેરી દ્વારા દરખાસ્તો મોકલાઇ અને કલાકારોએ રજૂઆતો પણ કરી છતાં આ ફાઇલ અભેરાઇ પર ચડાવી દેવાઇ હતી.જે કલાકારોએ રૂબરૂ જઇ ઉતરાવી અને ૯૨ લાખની મંજુરી સ્થાનિક રાજકીય આગેવાનોને લઇ મળી હતી.જેમાની ૫૦ લાખની રકમ પી.ડબલ્યુ.ડી.ને જમા પણ આપી દેવાઇ હતી.જો કે, આ ઘટનાક્રમ બાદ કલા જગતમાં યશવંતરાયના જીવંત દ્રશ્યોની આશા બંધાઇ હતી.પરંતુ આ વાતને પણ આજે બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં ટેન્ડરીંગ પ્રક્રિયા થઇ શકી નથી.જે અંગે પી.ડબલ્યુ.ડી.ના સુત્રોને પુછતા અગાઉ એસ.ઓ.આર.માં ૧૨ ટકા જી.એસ.ટી. લગાવાયો હતો જેમાં ફેરફાર આવતા ૧૮ ટકા કરાતા ફરી એસ.ઓ.આર. કરવાવવો પડયો છે જેની કાર્યવાહી પૂર્ણ થઇ ચુકી છે અને સંભવિત એકાદ અઠવાડીયા બાદ ટેન્ડર બહાર પાડી દેવામાં આવશે. જો કે, ટેન્ડર બહાર પડયા બાદ પણ વહિવટી મંજુરી મળ્યે વર્ક ઓર્ડરમાં પણ ૨૫ દિવસ જેટલો સમય લાગે તેવું જણાયું છે.આમ વહિવટી પ્રક્રિયામાં ખાસ્સો સમય વેડફાઇ રહ્યો છે. જો કે, હાલના રિપેરીંગનું ટેન્ડર પણ કોઇ સારી અને નિષ્ઠાવાન એજન્સીને અપાય તેવું કલા રસિકો ઇચ્છી રહ્યા છે જેથી સરકારી નાણાનો વેડફાટ ન થાય અને જે કાઇ નવી સુવિધા ઉભી કરાય તે લાંબા સમય સુધી ટકી રહે અન્યથા દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ ઘડાશે.

ભાજપ નેતાની માતા અને દિકરાની કુલ્હાડીથી કાપીને કરાઇ હત્યા
વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
ભાજપ આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે, ટેમ્પો ભરીને ચૂંટણી સાહિત્ય કમલમમાં પહોંચ્યું
વાલીઓ માટે ખુશખબર : રૂપાણી સરકારે જાહેર કર્યો સ્કૂલોમાં ફી ભરવાનો નવો નિયમ, કોઈની મનમાની નહીં ચાલે
ભારત માલા પ્રોજેક્ટનો રસ્તો ખેતરમાંથી ન આપવા આદિવાસી ખેડૂતો મક્કમ
Share This Article
Facebook Email Print
Previous Article કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે યુવાનોના વોટરપાર્કમાં ધૂબાકા
Next Article બામરોલી ગામની કૃષ્ણપુરા પ્રાથમિક શાળાનાં ઓરડા જર્જરિત બન્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up