[weather_data]
Breaking News
TRENDING NEWS

યાત્રાધામ ડાકોર મંદિરના દ્વાર આવતીકાલે ખુલશે, ભક્તોએ ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે

[updated_date] [post_views]

Table of Content

ગુજરાતમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે પરિણામે રાજ્ય સરકારે ધાર્મિક તહેવારો અને મેળાઓ પ્રતિબંધ મૂક્યો છે સાથે સાથે મંદિરો પણ હજુ અકબંધ રહ્યા છે જોકે આવતીકાલે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના દ્વાર ખુલશે જેના પગલે ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરી શકશે.આવતીકાલથી ડાકોર મંદિરમાં ભાવિક ભક્તો દર્શન કરી શકશે પણ કોરોનાની મહામારીને પગલે ભીડભાડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના ભાવિક ભક્તોએ ઓનલાઇન બુકીંગ કરાવવું પડશે.ઓનલાઇન બુકીંગ બાદ ઇ-ટોકન હશે તો જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.ભાવિક ભક્તો માટે માસ્ક પણ માસ્ક પહેરવું ફરજીયાત છે આ ઉપરાંત સેનેટાઈઝર અને થર્મલ સ્કેનરની તપાસ પછી ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.જોકે,સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે પરમિશન નહીં અપાય.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles