– રશિયા સામે યુક્રેનનું આક્રમક વલણ
– સંયુક્ત રાષ્ટ્રસંઘના મોટાભાગના દેશોનું વલણ નાટોની તરફેણમાં
જિનિવા : સંયુક્ત રાષ્ટ્રસંઘે રશિયા-યુક્રેન સંઘર્ષમાં સામેલ બધા પક્ષકારોને તાત્કાલિક યુદ્ધવિરામ કરવા આગ્રહ કર્યો.સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુંટેરેસે જણાવ્યું હતું કે વધુને વધુ સંયમ રાખીને વાતચીત કરવાની જરૂર છે.
તેમણે વર્તમાન સંકટ પર 11માં કટોકટીના સત્રમાં જણાવ્યું હતું કે કૂટનીતિ અને સંવાદ કાયમ રહેવો જોઈએ.ખાસ સત્રનો પ્રારંભે એક મિનિટનો મૌન સાથે થયો.સત્રમાં ગુંટેરેસે જણાવ્યું હતું કે વધતી હિંસાના લીધે સાન્ન્ય નાગરિકો મરી રહ્યા છે.
હવે બહુ થઈ ગયું.સૈનિકોએ બેરેકમાં પરત જવાની જરૂર છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે માનવીય સહાયતા મહત્ત્વની છે,પરંતુ તે કોઈ સમાધાન નથી.એકમાત્ર સમાધાન શાંતિના માર્ગે થાય છે.મેં યુક્નનના રાષ્ટ્રપતિને આશ્વાસન આપ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ મદદ જારી રાખશે.
અમે તેમને એકલા નહી છોડીએ અને તેમને માનવીય મદદ પૂરી પાડીશું.આ પહેલા કીવ અને મોસ્કોના પ્રતિનિિધઓ વચ્ચે બેલારૂસના ગેમેલ શહેરમાં બેઠક થઈ હતી.આ દરમિયાન પણ યુક્રેનના શહેરોમાં લડાઈ જારી હતી.