યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયોને લઈને પહેલુ વિમાન રોમાનિયાથી રવાના, સાંજે મુંબઈ પહોંચશે

HM News
1 Min Read

કિવ, તા. 26. ફેબ્રુઆરી 2022 શનિવાર : યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને પહેલુ વિમાન રોમાનિયાથી રવાના થઈ ગયુ છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ગઈકાલે રોમાનિયા લઈ જવાયા હતા.ભારતે તેમને પરત લાવવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ મોકલી છે.

પહેલુ વિમાન 219 ભારતીયોને લઈને મુંબઈ આવવા માટે નિકળી ગયુ છે.વિદેશ મંત્રી જયશંકરે કહ્યુ હતુ કે, અમારી ટીમો 24 કલાક કામ કરી રહી છે.હું પોતે જનર રાખી રહ્યો છું.વિમાન સાંજે ચારેક વાગ્યે ભારત પહોંચી જાય તેવી શક્યતા છે.

ભારતીયોએ પોતાનો આરટી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે પણ જો તેમની પાસે આ રિપોર્ટ નહીં હોય તો તેમણે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે.જેનો ખર્ચ એરપોર્ટ દ્વારા ઉઠાવવામાં આવશે.નેગિટિવ આવનારા લોકોને તરત જ બહાર નિકળવા મળશે પણ જો કોઈનો રિપોર્ટ પોઝિટિવ હશે તો તેને મેડિકલ સારવાર આપવામાં આવશે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ કહ્યુ છે કે,યુક્રેનથી આવનારા ભારતીયો પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.સરકાર પોતાના ખર્ચે તેમને પાછી લાવી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *