By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યુપીના બરેલી જિલ્લામાં શર્મનાક ઘટના : પોલીસે મજૂરોને સેનિટાઈઝ કરવા કેમિકલથી નવડાવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યુપીના બરેલી જિલ્લામાં શર્મનાક ઘટના : પોલીસે મજૂરોને સેનિટાઈઝ કરવા કેમિકલથી નવડાવાયા
GeneralNational

યુપીના બરેલી જિલ્લામાં શર્મનાક ઘટના : પોલીસે મજૂરોને સેનિટાઈઝ કરવા કેમિકલથી નવડાવાયા

HM News
Last updated: 30/03/2020 11:24 AM
HM News
5 years ago
Share
SHARE

લખનૌ, તા.30. માર્ચ 2020, સોમવાર

દેશમાં લોકડાઉન વચ્ચે લાખો મજૂરો વતન પલાયન થઈ રહ્યા છે.જેમના માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ છે.

જોકે વતનમાં પહોંચ્યા બાદ પણ મજૂરોને રાહત નથી. યુપીના બરેલી જિલ્લામાં પલાયન કરીને પહોંચેલા મજૂરોને સેનિટાઈઝ કરવા માટે કેમિકલથી નવડાવાયા હોવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. આ મુદ્દે્ વિપક્ષે હવે યોગી સરકાર પર માછલા ધોવનુ શરુ કર્યુ છે.નોઈડાથી પાછા ફરેલા મજૂરોને પોલીસે સેનિટાઈઝ કરવાના નામે રસ્તા પર બેસાડ્યા હતા અને તેમના પર કેમિકલનો છંટકાવ કર્યો હતો. આ કેમિકલ જંતુનાશક દવા હોવાનુ મનાઈ રહ્યુ છેએ પછી તેમને આગળ રવાના કરી દેવાયા હતા.

સૂત્રોનુ કહેવુ છે કે, જે કેમિકલનો ઉપયોગ કરાયો છે તે ડેંગુના લાર્વાના મારવા માટે ઉપયોગમાં લેવાય છે. જોકે આ વિડિયો બહાર આવ્યા બાદ તંત્રે હાલમાં તો મૌન ધારણ કરી લીધુ છે. બીજી તરફ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ આ શરજનક હરકત કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીએ સવાલ કરતા કહ્યુ છે કે, શું તેમના પર કેમિકલ છાંટવુ યોગ્ય છે .તેમના માટે કપડા બદલવાની કોઈ વ્યવસ્થા છે. તેમના પલળી ગયેલા સામાનનુ શું? તેમને આ રીતે નવડાવો નહી. તેનાથી તેમનો બચાવ નહી થાય બલ્કે તેમની તબિયત વધારે ખરાબ થશે.

સુરત મનપા ચૂંટણી પરિણામ: હાર્દિક પટેલને મોટો ઝટકો, કોંગ્રેસ કરતા તો AAP ખુબ આગળ : વોર્ડ નંબર 16 માં આપની પેનલનો વિજય
કોરોનાને હરાવવામાં દુનિયાભરમાં ભારત સૌથી આગળ
લાઉડસ્પીકર વિવાદ: સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરનારી 135 મસ્જિદો સામે મહારાષ્ટ્ર સરકાર કરશે કાર્યવાહી
વિશ્વ પર્યાવરણ દિવસ : લોકડાઉનમાં કચરો મુસીબત બન્યો
રૂબેલમાં ગેસ ચૂકવણીની ફ્રાંસની ના : મેક્રોને કહ્યું કારણ વગરની આ માંગ સ્વીકાર્ય નથી
Share This Article
Facebook Email Print
Previous Article “જો દોષિત કેદીઓને છૂટા કરવામાં આવે છે, તો આસારામ બાપૂને પણ જેલમુક્ત કરો” : ભાજપ સાંસદ સ્વામી સુબ્રમણ્યમ
Next Article USમાં કોરોનાને કારણે 2 લાખ લોકોના મોત થઈ શકે : NIH ડિરેક્ટર એન્થની ફૌસી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up