નવી દિલ્હી : તા.27 મે 2022, શુક્રવાર : સ્વર કોકિલા લતા મંગેશકર હવે આપણાં વચ્ચે નથી રહ્યા પરંતુ તેમણે ગાયેલા હજારો ગીતો આજે પણ આપણાં હૃદયમાં ધબકી રહ્યા છે.તેમના અવસાન બાદ તેમની સ્મૃતિમાં અને તેમને સન્માન આપવા માટે દીનાનાથ મંગેશકર પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ વાર્ષિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો.દેશ અને દેશવાસીઓ માટે શાનદાર અને અનુકરણીય યોગદાન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર એનાયત થયો હતો.વડાપ્રધાન મોદીએ આ પુરસ્કાર સાથે મળનારી ધનરાશિ એક ચેરિટી માટે ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.ત્યારે ટ્રસ્ટે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી એક લાખ રૂપિયાની ધનરાશિને પીએમ કેર ફંડમાં આપવાનો નિર્ણય લીધો છે. લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે ટ્વિટરના માધ્યમથી તે રકમ પીએમ કેર ફંડમાં આપવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી હતી.