By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રથયાત્રાની પહિંદ વિધિની પરંપરાને કોરોનાનું ગ્રહણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રથયાત્રાની પહિંદ વિધિની પરંપરાને કોરોનાનું ગ્રહણ
AhmedabadGeneral

રથયાત્રાની પહિંદ વિધિની પરંપરાને કોરોનાનું ગ્રહણ

HM News
Last updated: 30/06/2022 5:11 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદની રથયાત્રાની આ વિધિ વર્ષોથી માત્ર ગુજરાતના મુખ્ય પ્રધાન કરે છે,પરંતુ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થતાં આ પરંપરા તૂટવાની શક્યતા કોરોનાને કારણે બે વર્ષ બાદ હર્ષોલ્લાસ સાથે આવતી કાલે અમદાવાદમાંથી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા યોજાવાની છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થવાથી રથયાત્રાની પહિંદ વિધિની અને રથને પ્રસ્થાન કરાવવાની વર્ષો જૂની પરંપરા તૂટી શકે છે.બીજી તરફ ગઈ કાલે ગુજરાતમાં કોરોનોના કેસનો આંકડો પાંચસોને પાર થયો હતો અને કુલ ૫૨૯ કેસ નોંધાયા હતા.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોવિડનાં હળવાં લક્ષણો જણાતાં તેમણે કોવિડની ટેસ્ટ કરાવી હતી જે ગઈ કાલે પૉઝિટિવ આવી હતી.આ રિપોર્ટ બાદ તેમણે સ્વયં આઇસોલેશનમાં પોતાના નિવાસસ્થાને જ રહેવાનો નિર્ણય કર્યો છે.તેઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે.જોકે સીએમઓ દ્વારા આ બાબતે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી.

ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થવાથી પહિંદ વિધિ કોણ કરશે એ પ્રશ્ન ઊઠ્યો છે,કેમ કે અમદાવાદમાં યોજાતી રથયાત્રાનું પ્રસ્થાન અને પહિંદ વિધિ વર્ષોથી જે-તે મુખ્ય પ્રધાન કરતા આવ્યા છે.આ ઉપરાંત રથયાત્રાના આગલા દિવસે મુખ્ય પ્રધાન મંદિરમાં જઈને સાંજે આરતી ઉતારે છે ત્યારે આ વર્ષે આવતી કાલે રથયાત્રા યોજાય એ પહેલાં જ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાને કારણે હોમ આઇસોલેટ થવાથી પહિંદ વિધિ સહિતની રથયાત્રાની વિધિઓ તેઓ નહીં કરી શકે એમ જણાઈ રહ્યું છે.જોકે આજે વર્કઆઉટ થશે કે આ વર્ષની રથયાત્રામાં મુખ્ય પ્રધાનની જગ્યાએ પહિંદ વિધિ સહિતની વિધિઓ કોણ કરશે.

મુખ્ય પ્રધાન કોરોનાગ્રસ્ત થતાં તેમના સ્થાને કોણ રથ ખેંચશે અને પહિંદ વિધિ કરશે એમ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને પૂછતાં તેમણે‘મિડ ડે’ને કહ્યું હતું કે‘અમને આ સમાચાર મળ્યા છે અને કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.એ તો ઑફિશ્યલી સીએમની ઑફિસથી આવશે પછી નિર્ણય લેવાશે.આજે સાંજની આરતીમાં તેમનો ટાઇમ છે,પણ જો તેઓ કોરોના પૉઝિટિવ હશે તો કદાચ ન આવે એવું હોઈ શકે.’

વપરાયેલી કોરોના ટેસ્ટિંગ કિટોને ધોઈને ફરી તેનાથી ટેસ્ટ કર્યા, 9000 યાત્રીઓ ભોગ બન્યા
કચ્છ – ભુજના કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપીને પોલીસ યુવતી સાથે વારંવાર માણ્યું શરીરસુખ ને પછી…..
ગંગાધરા ગામે હાઇવેની બાજુમાં આવેલ નાળામાંથી ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રિટર્ન અને ઓડિટ રિપોર્ટની ડયુ ડેટ લંબાવવા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણને રજૂઆત
ભાજપે એક કાંકરે બે શિકાર કરી લીધા, કોંગ્રેસ હવે ક્યાં નેતાને જીતાડીને રાજયસભામાં મોકલશે ?
Share This Article
Facebook Email Print
Previous Article જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ હર્ષોલ્લાસથી યોજાઈ
Next Article કુર્લા દુર્ઘટનાના અસરગ્રસ્તોને હજી આશરો નથી મળ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up