મોસ્કો : રશિયન સેનાએ યુક્રેનમાં તબાહી મચાવી છે જેના કારણે લાખો લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે.જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ છે.આ બાળકોને મદદ કરવા માટે વિશ્વભરમાંથી મદદ એકત્ર કરવામાં આવી રહી છે.
દરમિયાનમાં,રશિયાના સ્વતંત્ર અખબાર “નોવાયા ગેઝેટા”ના મુખ્ય સંપાદક દિમિત્રી મુરાટોવે પણ યુક્રેનિયન બાળકોને મદદ કરવા માટે પોતાને મળેલા નોબેલ પુરસ્કારની હરાજી કરી હતી.નોબેલ પુરસ્કારની હરાજી માટે ન્યૂયોર્કમાં હેરિટેજ ઓક્શન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.એક અજાણ્યા ખરીદદારે આ નોબેલ પુરસ્કાર 10.35 કરોડ ડૉલરમાં ખરીદ્યો હતો.મુરાટોવને ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રુસા સાથે‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા’ માટે 2021માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.દિમિત્રી મુરાટોવ લાંબા સમયથી રશિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે કામ કરી રહ્યા છે.તેમણે કેટલાક સહયોગીઓ સાથે 1993માં નોવાયા ગેઝેટાની સ્થાપના કરી હતી.


