રશિયા યુક્રેનની રાજધાની કીવ પર કયારે કબ્જો લઇ શકશે ? જાણો, ખુદ જેલેંસ્કી શું માને છે ?

HM News
2 Min Read

કીવ,14 ફેબ્રુઆરી,2022,સોમવાર : રશિયા અને યુક્રેનને આજકાલ કરતા યુધ્ધના 18 દિવસ થઇ ગયા. યુક્રેનના પ્રચંડ પ્રતિકારના કારણે આ લડાઇ રશિયા માટે શાખનો સવાલ ઉભો થયો છે.યુક્રેન યુધ્ધના ચોથા દિવસે જ રશિયાનો 63 કિમી લાંબો કાફલો યુક્રેનના પાટનગર તરફ આગળ આવી રહયો હોવાની સેટેલાઇટ તસ્વીરો બતાવવામાં આવી હતી.એ જોતા તો કીવના પતન સાથે જ યુક્રેન –રશિયા યુધ્ધનો અંત આવી જશે એવું સૌ માનતા હતા.

જો કે હકિકત એ છે કે યુધ્ધને બે સપ્તાહથી પણ વધારે સમય પસાર થયો હોવા છતાં રશિયા કીવ જીતી શકયું નથી.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ લોકોને દરેક મોરચે લડી લેવા આહવાન કર્યુ એ પછી દુનિયામાં જાણીતા બન્યા છે.તેઓ વીડિયોઝ તૈયાર કરીને પોતાની પ્રજાનું મોરલ વધારે છે એટલું જ નહી આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો મત પણ પ્રગટ કરતા રહે છે.

જેલેંસ્કીએ હમણાં રશિયા કીવ કયારે જીતી શકશે એ અંગે જણાવ્યું તે ખૂબજ માર્મિક છે.તેમણે કહયું કે રશિયા હજારો સૈનિકો અને હજારો ટેંકો લઇને પ્રવેશે ત્યારે કીવ પર કબ્જો કરી શકે છે.એટલે કે કીવને રશિયા સંપૂર્ણ બરબાદ કરી નાખે એ પછી જ હાથમાં આવશે.એ સિવાચ રશિયા કયારેય કીવ જીતી શકશે નહી.યુક્રેનના રાષ્ટ્રપતિએ એ પણ ઉમેર્યુ કે રશિયાને યુધ્ધના કારણે જેનુકસાન થયું છે તે અગાઉ કેટલાય દાયકાઓ પહેલા થયું ન હતું.યુધ્ધે રશિયાને ઘણા વર્ષો પાછળ ધકેલી દીધું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *