આર્જેન્ટિના, તા. 04 મે 2022 બુધવાર : રશિયા અને યુક્રેનની વચ્ચે 2 મહિના કરતા વધારે સમયથી યુદ્ધ ચાલુ છે અને રશિયન સેના સતત હુમલા કરી રહી છે.યુક્રેન પર રશિયાના હુમલામાં પોપ ફ્રાંસિસ કોઈ કૂટનીતિક છાપ છોડી શક્યા નહીં.ઈસ્ટર પર યુદ્ધવિરામ કરવાની તેમની અપીલની કોઈ અસર થઈ નહીં.રશિયન ઓર્થોડોક્સ ચર્ચના પ્રમુખ સાથેની તેમની નક્કી બેઠક રદ કરી દેવાઈ અને તેઓ મોસ્કો પણ જઈ શકતા નથી.
રશિયા-યુક્રેનની મિત્રતા પ્રદર્શિત કરવાના પોપ ફ્રાંસિસનો પ્રયાસ પણ અસફળ સાબિત થયો.પોપ પોતાના નૈતિક અધિકાર, સોફ્ટ પાવર અથવા મોસ્કો સાથે વાતચીત માટે સીધી લાઈન હોવાની સુવિધાનો ઉપયોગ યુદ્ધને રોકવા કે ઓછોમાં ઓછો સંઘર્ષ વિરામ કરવા માટે ના કરી શક્યા.
પોપ ફ્રાંસિસ અત્યારે એક વિચિત્ર સ્થિતિમાં છે, જ્યાં રશિયા અથવા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનુ નામ લેવાનો ઈનકાર કરવા અને રશિયન ઓર્થોડોક્સ ચર્ચના પ્રમુખ સાથે સારા સંબંધનો બચાવ કરવાને લઈને તેમને સ્પષ્ટીકરણ આપવુ પડી રહ્યુ છે.તેઓ કહે છે, પોપ આ કરતા નહીં. રશિયન ઓર્થોડોક્સ ચર્ચના પ્રમુખે આધ્યાત્મિક કારણોથી યુદ્ધને યોગ્ય ઠેરવ્યુ
પોપ ફ્રાંસિસ યુક્રેનના લોકોને શાંતિનો સંદેશ આપી રહ્યા છે, માનવીય સહાયતાની સાથે કાર્ડિનલ મોકલી રહ્યા છે અને કથિત રીતે મારિઉપોલમાંથી લોકોને નીકાળવા માટે વેટિકન તરફથી શિપ મોકલવાનો પણ પ્રસ્તાવ આપી રહ્યા છે.આ સાથે જ તેઓ રશિયાના ઓર્થોડોક્સ ચર્ચની સાથે સંબંધ સુધારવાના પ્રયાસમાં પણ કાર્યરત છે.જે એક હજાર કરતા પણ વધારે વર્ષ પહેલા તૂટી ગયા હતા.