સુરત : આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે.રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે,તો બીજી તરફ સુરતમાં ભાજપના જ ગઢ ગણાતા ડીંડોલી વિસ્તારમાં બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે.બેનરમાં કોઈ પણ રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખાયું છે.
કોઈ પણ પક્ષના નેતાને પ્રવેશવાની મનાઈ
સુરતના ડીંડોલી વિસ્તારમાં ખોડીયાર નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટી બહાર બેનરો લાગ્યા છે.બેનરમાં કોઈ પણ પક્ષના નેતા કે રાજકારણના લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખાયું છે.આ પ્રકારના બેનરો સોસાયટી બહાર લાગતા રાજકારણ ગરમાયું છે.ઉલ્લેખનીય છે કે ડીંડોલી વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે.અને ત્યાં આ પ્રકારના બેનરો લાગતા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે,આ બેનરો કોણે અને શા માટે લગાવ્યા છે તેની માહિતી હાલ સામે આવી નથી.
ભૂતકાળમાં પણ આ પ્રકારના બેનરો લાગી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ચુંટણી આવી રહી છે.રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં જોતરાઈ છે ત્યારે સુરતમાં હવે બેનરો થકી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.ભૂતકાળમાં પણ ચુંટણી સમયે પોતાની સમસ્યાઓ હલ ન થતા અનેક સોસાયટીમાં આ પ્રકારના બેનરો લાગ્યા હતા.ત્યારે ચુંટણી નજીક આવતા હવે બેનરો લાગતા રાજકારણ ગરમાઈ રહ્યું છે.આ વખતે ચુંટણીમાં ત્રીપાંખિયો જંગ જામી શકે છે.ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે.ત્યારે ડીંડોલી વિસ્તારમાં બેનરો લગતા રાજકારણ ગરમાયું છે.