[weather_data]
Breaking News
TRENDING NEWS

રાજકારણ/હરિયાણા સરકારમાં ખટપટ?અમિત શાહને મળશે CM ખટ્ટર,દુષ્યંત ચૌટાલાએ બોલાવી JJP ધારાસભ્યોની બેઠક

[updated_date] [post_views]

Table of Content

હરિયાણામાં ખેડૂત આંદોલનને લઈને રાજનીતિક ગતિવિધીઓ ઝડપી થઈ ગઈ છે.આ દરમિયાન હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.સૂત્રોનું માનવું છે કે આ મુલાકાત દિલ્હીમાં થશે.દુષ્યંત ચૌટાલાની સાથે જેજેપી ધારાસભ્યો પણ હાજર રહેશે.આ મુલાકાત દરમિયાન ખેડૂત આંદોલનને લઈને ચર્ચા થશે.

દુષ્યંત જજપા ધારાસભ્યોની સાથે અમિત શાહ સાથે મુલાકાત કરી શકે
સીએમ ખટ્ટર પણ જશે દિલ્હી
રણજીત સિંહે કરનાલના કૈમલામાં થયેલી ઘટનાક્રમને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
ઉલ્લેખનીય છે કે જજપાએ મંગળવારે નવી દિલ્હીમાં ધારાસભ્યો તથા પદાધિકારીઓની બેઠક બોલાવી હતી.આ બેઠક બાદ દુષ્યંત જજપા ધારાસભ્યોની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.ઉલ્લેખનીય છે સરકારની વિરુદ્ધ કોંગ્રેસ વારંવાર વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની માંગ કરી રહી છે.સીએમ મનોહર લાલ ખટ્ટર પણ દિલ્હી જશે. જ્યાં તે અનેક કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી શકે છે.

રણજીત સિંહે કરનાલના કૈમલામાં થયેલી ઘટનાક્રમને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી

સોમવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલખટ્ટરે પ્રદેશના ચાર નિર્દલીય ધારાસભ્યોની સાથે વીજળી મંત્રી રણજીત ચૌટાલાના આવાસ પર લંચ કર્યુ હતુ.આ દરમિયાન આંદોલનને લઈને વાતચીત થઈ.લગભગ દોઢ કલાક સુધી સીએમના નિર્દલીય ધારાસભ્યની સાથે ખેડૂત આંદોલન અને રાજ્યની રાજકીય ગતિવિધીને લઈ વાતચીત કરી.વીજળી મંત્રી રણજીત સિંહે કરનાલના કૈમલામાં ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલી ઘટનાક્રમને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.

સીએમ ખટ્ટર પણ જશે દિલ્હી

સીએમ મનોહર લાલ ખટ્ટર પણ ગુરુવારે નવી દિલ્હી જશે. જ્યાં તેમના અનેક મંત્રીઓ તથા નેતાઓની સાથે મુલાકાત સંભવિત છે.ગત અનેક સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દા પર તે કેન્દ્રીય મંત્રીઓની સાથે વાતચીત કરશે.તે કરનાલના કૈમલા ગામમાં ખેડૂત મહાપંચાયતને લઈને થયેલા ઘટનાક્રમ પર પણ ફીડબેક આપી શકે છે. ઉલ્લેખનીય છે કે કૈમલામાં વિવાદ બાદ પોલીસે 71 પ્રદર્શનકારિયોને નામ દાખલ કર્યા બાદ 900 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles