– હત્યા કેસમાં આખરે પરિવારને ન્યાય મળ્યો
– કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
રાજકોટ,14 માર્ચ 2023, મંગળવાર : ગુજરાતભરમાં બહુચર્ચિત સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં આખરે ભોગ બનનારનાં પરિવારને ન્યાય મળ્યો છે. 2021માં સગીરાને 34 જેટલા છરીના ઘા ઝીંકી આરોપી જયેશ સરવૈયાએ હત્યા કરી હતી.આ કેસમાં ગત સાત તારીખના રોજ રાત્રે 12:00 વાગે આરોપીને દોષિત જાહેર કરાયા બાદ આજે જેતપુર સેશન્સ કોર્ટના જજ આર.આર ચૌધરીએ આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો ગત તારીખ 16-3-2021 નાં રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામે 11માં ધોરણમાં અભ્યાસ કરતી સૃષ્ટિ રૈયાણીની હત્યા કરવામાં આવી હતી.આરોપીએ કુલ 34 જેટલા છરીના ઘા ઝીંકી સૃષ્ટિને મોતને ઘાટ ઉતારી હતી.અને ભાઈ હર્ષ રૈયાણીને પણ છરીના પાંચ જેટલા ધા ઝીંક્યા હતા.આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.ગુજરાતના વિવિધ રાજ્યોમાં સૃષ્ટિ રૈયાણીનો હત્યા કેસ ફાસ્ટ એક કોર્ટમાં ચલાવવા માંગ પણ ઊઠી હતી.તે સમયે કોંગ્રેસમાં રહેલા હાર્દિક પટેલ તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સીઆર પાટીલ તેમજ ગુજરાતના કેબિનેટ પદે રહેલા અને હાલના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ ગૃહમંત્રી સહિતનાને આરોપીને કડક સજા થાય તે માટે રજૂઆત કરી હતી.
આ સમગ્ર મામલે આખરે આજે આરોપીને કોટે ફાંસીની સજા ફટકારી હતી.ગત સાત તારીખે આરોપીની જયેશ સરવૈયાને રાત્રે 12:00 વાગે દોશી જાહેર કર્યો હતો અને ત્યારબાદ તેઓને આજે સેશન કોર્ટના જજ આર.આર ચૌધરીએ આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.આ કેસ મામલે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં ફેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શરૂઆતથી જનક પટેલની નિમણૂક કરવામાં આવી હતી.ત્યારે જનક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી નજરે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ નિર્ભયા કેસ કરતા પણ ખૂબ જ ગંભીર અને દર્દનાક છે.કોર્ટમાં અમે તબિબ પાસે પુરવાર કરાવ્યું છે કે સૃષ્ટિને મારવામાં આવેલ એક એક ઘા કોઈપણ વ્યક્તિનું મોત નીપજાવા માટે સક્ષમ હતા.આમ જયેશ સરવૈયા દ્વારા માત્ર એક જ વ્યક્તિની નહીં પરંતુ 34 જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે.આ કેસ ટ્રાયલ દરમિયાન 51 શહીદોની જુબાની લેવામાં આવી છે.પરંતુ એક પણ સાહેદ હોસ્ટાઇલ થયેલ નથી.જે તે સમયે પોલીસ દ્વારા કોર્ટમાં 200 થી 216 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.
આરોપીએ ગુનાના કામે છરી વાપરી હતી તે તેને હત્યાના 12 દિવસ અગાઉ ચોટીલા ખાતે આવેલા મહાકાળી નામની દુકાનમાંથી ખરીદી કરી હતી.જે દુકાનેથી છરી ખરીદી કરી હતી.તે દુકાન સંચાલક ચીમનભાઈ પણ આ ગુનાના કામે કોર્ટમાં હાજર રહી પોતાની ઝૂબાની આપી ચૂક્યા છે.આમ કોર્ટમાં પણ તે બાબતે સ્પષ્ટ થઈ ગઈ હતી કે જયેશ સરવૈયાએ હત્યા કરવા માટે આગતરું આયોજન કર્યું હતું.જેને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે આરોપીને સૌથી મોટી કહી શકાય તેવી ફાંસીની સજા ફટકારી છે.