– બિલ્ડરે બુટલેગરને હવાલો દીધાનો આક્ષેપ : પગલા લેવા પોલીસ કમિશ્નરને રજૂઆત
ગૌતમ પાર્કમાં મોડી રાત્રે બનેલો બનાવ
રાજકોટ : રાજકોટના ગૌતમ પાર્કમાં મોડી રાત્રે આવારા તત્વોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉઠાવી ગયાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અનુસુચિત જાતીના આગેવાનો દ્વારા બિલ્ડરે બુટલેગરને હવાલો આપી પોલીસની મીઠી નજર હેઠળ આ કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે પ્રતિમા પરત સ્થાપિત કરવા અને દુષ્કૃત્ય કરનાર શખ્સો સામે પગલા લેવા અંગે પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નરને પાઠવેલ આવેદનમાં જણાવ્યા પ્રમાણે મવડી સર્વે નંબર ૧૯૬માં આવેલ ગૌતમ પાર્કમાં રાત્રે ત્રણેક વાગ્યે આવારા તત્વો ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉઠાવી ગયા છે મગન ચતુરભાઈ જાદવ ગુંડાઓ સાથે આવ્યો હતો અને ઝઘડો કરી તાલુકા પોલીસને બોલાવતા અનુસુચિત જાતીના ૧૩ સભ્યોને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા અને બાદમાં પોલીસની હાજરીમાં આ પ્રતિમા ગુમ કરી દેવામાં આવી છે.અગાઉ આ બાબતે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું પરંતુ અમારી વાત સાંભળી ન હતી.મવડી રોડ ઉપર શિવશક્તિ ડેરી ધરાવતા બિલ્ડર જગદીશ પટેલે મગન જાદવ, કિશોર વોરાને કહીને સમાજના હાથા બનાવીને પ્રતિમા હટાવવામાં મહત્વનો રોલ ભજવ્યો છે ગત રાત્રે બિલ્ડરના કહેવાથી જ મગન આણી ટોળકીએ પોલીસની હાજરીમાં જ બાબાસાહેબની પ્રતિમા ગાયબ કરી દેતા ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
તાલુકા પીઆઈની પણ સ્પષ્ટ સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ પ્રતિમા હટાવવામાં બિલ્ડર તથા તેના ઈશારે કામ કરનાર આવારા તત્વોને તાત્કાલિક પકડી પ્રતિમા ફ્રીથી સ્થાપિત કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.સંભવિત આ જ ઘટનાના વિરોધમાં દોઢસો ફ્ૂટ રીંગ રોડ ઉપર અમુક શખ્સોએ ટાયર સળગાવી ચક્કાજામ કરતા પોલીસ કાફ્લો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી જો કે પોલીસ પહોચે તે પૂર્વે જ છમકલું કરનાર શખ્સો ભાગી ગયા હતા જેથી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ્ ભીમનગરમાં રહેતા અરજણભાઈ કેશુભાઈ સોલંકી ઉ.૫૪ સવારે ઘર નજીક બાઈક લઈને જતા હતા ત્યારે ભરત,બાબુ અઘેરા,પપ્પુ ગુલાબ,લાલો અને અજાણ્યા ૧૫ શખ્સોએ તમે પ્રતિમાના પૈસા ખાઈ ગયા છો તેમ કહી લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા
પ્રતિમા પાસે બેઠેલા ૧૩ શખ્સો વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી શા માટે ?
ગૌતમ પાર્ક મફ્તીયાપરામાં રાત્રે ૧૧ વાગ્યે પ્રતિમા પાસે અમુક શખ્સો ટોળે વળીને બેઠા હોય તેવો કંટ્રોલમાંથી કોલ આવતા તાલુકા પોલીસનો સ્ટાફ્ દોડી ગયો હતો અને ભીમનગર,ભગવતીપરા,મવડી,મોટા મૌવા,મેઘમાયાનગર,આંબેડકરનગરના નીલેશ નગવાડીયા,જીતેન્દ્ર પરમાર,નીતિન પરમાર,હિરેન બેડવા,દીપક દાફ્ડા,દિવ્યેશ ચાવડા, સતીષ વાઘેલા,કેતન સાગઠીયા,કાનજી બાબરિયા,મનીષ મહીડા,સુનીલ દલસાણીયા, પરિમલ સોલંકી અને અમિત દાફ્ડા સામે જાહેરનામાં ભંગ સબબ ગુનો નોંધી તમામની અટકાયત કરી લીધી હતી ત્યાર બાદ મોડી રાત્રે પ્રતિમા હટાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રતિમા હટાવવાનું શુટિંગ કરતા શખ્સની કારમાં બુટલેગરે કરી તોડફોડ
શહેરના પેડક રોડ ઉપર રહેતા અને રાજકોટ ભારત કિશાન ન્યુઝ પેપરમાં નોકરી કરતા કરશનભાઈ ભીખાભાઈ રાઠોડને રાત્રે માથાકૂટ ચાલતી હોવાનો ફેન આવતા તે ત્યાં જઈને પ્રતિમા હટાવાતા લોકોનું વિડીયો શુટિંગ કરતા હતા ત્યારે બુટલેગર મગન ચતુરભાઈ જાદવ નામના શખ્સે ઝઘડો કરતા તેઓ અંધારામાં છુપાઈ ગયા હતા અને તેમની બલેનો કારમાં તલવાર સહિતના હથિયારોથી તોડફેડ કરી ૭૦ હજારનું નુકશાન કર્યું હોવાની ફ્રિયાદ તાલુકા પોલીસમાં નોંધાવાઈ છે.