By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજકોટમાં ભાજપ દ્વારા જાહેર ગણેશોત્સવને બદલે કાર્યાલય ખાતે સ્થાપન ! આંતરિક જૂથવાદને કારણે…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટમાં ભાજપ દ્વારા જાહેર ગણેશોત્સવને બદલે કાર્યાલય ખાતે સ્થાપન ! આંતરિક જૂથવાદને કારણે…
GeneralSaurashtra

રાજકોટમાં ભાજપ દ્વારા જાહેર ગણેશોત્સવને બદલે કાર્યાલય ખાતે સ્થાપન ! આંતરિક જૂથવાદને કારણે…

HM News
Last updated: 01/09/2022 7:23 AM
HM News
3 years ago
Share
SHARE

– આંતરિક જૂથવાદને કારણે સાદાઈથી ઉજવણી થઈ રહી હોવાની ચર્ચા
– પાર્ટી ટીકીટ આપે તો ચૂંટણી લડીશ – ધારાસભ્ય ગોવિંદ પટેલ

કોરોના કાળનાં બે વર્ષને બાદ કરતાં છેલ્લા ઘણા વર્ષોથી શહેર ભાજપ દ્વારા જાહેરમાં ગણપતિ મહોત્સવ ઉજવાય છે.જેમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોવાથી શહેર અને જિલ્લા સહિત સૌરાષ્ટ્રનાં કાર્યકરો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે.પરંતુ ચાલુ વર્ષે શહેર ભાજપ દ્વારા જાહેર ગણેશોત્સવને બદલે કાર્યાલય ખાતે વાજતેગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું.જેને લઈને અનેકવિધ ચર્ચાઓનો દોર શરૂ થયો છે.જેમાં આંતરિક જૂથવાદને કારણે સાદાઈથી ઉજવણી થઈ રહી હોવાની ચર્ચા છે.જોકે ભાજપ દ્વારા આ માટે કોરોનાનું કારણ દર્શાવવામાં આવ્યું છે.આજે ગણપતિ સ્થાપન સમયે ધારાસભ્ય ગોવિંદ પટેલે નો રીપીટ થિયરી અંગે નિવેદન આપ્યું હતું.અને જણાવ્યું હતું કે, પાર્ટી ટીકીટ આપે તો ચૂંટણી લડીશ.

શહેર ભાજપ દ્વારા દર વર્ષે ગણેશોત્સવનું આયોજન જાહેરમાં ભવ્ય રીતે કરવામાં આવે છે.તેમાં પણ આ વર્ષે ચૂંટણીઓ આવી રહી હોવાથી વધુ સારી રીતે આ મહોત્સવ ઉજવવામાં આવે તેવી ધારણા કાર્યકરોમાં હતી.જોકે પાટીલની નિમણુંક અને રૂપાણીની વિદાઈ બાદ સત્તાનું કેન્દ્ર બદલાયા બાદ સ્થાનિક ભાજપમાં પરિવર્તન આવ્યું છે.જે અંતર્ગત લગભગ તમામ કાર્યક્રમોમાં ઉપરથી જે કંઇ સૂચના આવે તે સૂચનાનું પાલન કરી સંતોષ માનવામાં આવે છે, આવી જ રીતે ગણપતિ મહોત્સવનું પણ માત્ર કાર્યાલય ખાતે કરાયું હોવાની ચર્ચા ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.

આ તકે દક્ષિણનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે નો રિપીટ થિયરી અંગેનાં સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી કરશે, અને પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે.પાર્ટી દ્વારા ટીકીટ આપવામાં આવશે તો ચૂંટણી લડીશ અને નહીં આપવામાં આવે તો પાર્ટી જે કોઈ જવાબરી આપશે તે નિષ્ઠાથી નિભાવીશ.તો શહેર ભાજપ પ્રમુખ તેમજ વિધાનસભા-69 બેઠકનાં મજબૂત દાવેદાર કમલેશ મિરાણીએ કહ્યું હતું કે, પાર્ટીએ બે ટર્મથી પ્રમુખની જવાબદારી આપી છે. ત્યારે ચારેય બેઠક પર તમામ ઉમેદવારોની જીત માટે કામ કરીશ.અને પાર્ટી ટીકીટ આપે તો ચૂંટણી પણ લડીશ.

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી પોલીસને શંકાસ્પદ ગાડીમાંથી સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળ્યા
ઝારખંડમાં આઇએએસ પૂજા સિંઘલના પરિસરોમાં દરોડા ઃ રૃ. ૨૫ કરોડ રોકડા જપ્ત
‘અલ-તકિયા’ અને હિંસાની એક સમાન પેટર્ન : કન્હૈયાલાલની હત્યા કરવા ઇસ્લામીઓ ‘ગ્રાહકો’ બન્યા, કમલેશ તિવારીની મિત્ર બનીને હત્યા કરાઈ હતી
સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટઃ સેન્ચુરિયનમાં ભારતની જીતમાં વરસાદ વિલન બની શકે છે
કચ્છના માંડવીમાં નો-રિપીટ થિયરી બાજુએ મુકી હરેશ વિંઝોડા પ્રમુખપદે નિયુક્ત કરાયા
Share This Article
Facebook Email Print
Previous Article સુમુલ ડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો, જાણો હવે કેટલા ચુકવવા પડશે : આજથી ભાવ વધારો અમલી થયો
Next Article વડોદરાના સાવલીમાં પકડાયેલા રૂ.1125 કરોડના MD ડ્રગ્સ કેસમાં લાજપોર જેલનું કનેક્શન ખુલ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up