By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજકોષિય ખાધ વધશે તો રેટિંગ ઘટશેઃ ફિચ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > રાજકોષિય ખાધ વધશે તો રેટિંગ ઘટશેઃ ફિચ
BusinessGeneralNational

રાજકોષિય ખાધ વધશે તો રેટિંગ ઘટશેઃ ફિચ

HM News
Last updated: 29/04/2020 11:26 AM
HM News
5 years ago
Share
SHARE

– ડેટ ટુ જીડીપી રેશિયો 77 ટકા થઈ જવાની ધારણાઃ રેટિંગ એજન્સી

નવી દિલ્હી,

ફિચ રેટિંગ્સે મંગળવારે કહ્યું હતું કે જો ભારતની ફિસ્કલ ડેફિસિટની સ્થિતિ વધારે નબળી પડશે તો તેના સોવરેન રેટિંગ પર તેની અસર થશે. એજન્સીએ કહ્યું હતું કે લોકડાઉન લંબાવાયું છે ત્યારે સરકાર ગ્રોથ આગળ ધપાવવા માટે વધુ ફિસ્કલ પગલાં જાહેર કરે તેવી શક્યતા છે. આવા કિસ્સામાં મધ્યમ ગાળામાં તેની રાજકોષીય ખાધ(ફિસ્કલ ડેફિસિટ) વધી જશે. નબળા ગ્રોથ વચ્ચે વિવિધ રાહતોના પેકેજ આપવાથી ફિસ્કલ આઉટલૂક વધારે નબળું પડશે અને આવા સંજોગોમાં ખાધ ઘટાડવા માટે પગલાં લેવા સરકાર પાસે મર્યાદિત વિકલ્પો જ રહેશે.

તેણે કહ્યું કે કોરોના વાયરસનો કેર ઓછો થાય પછી સરકાર ફરી ફિસ્કલ પોલિસી અંગે આકરા પગલાં લે તેવી શક્યતા છે, પરંતુ ફિસ્કલ ટારગેટ પૂરા કરવાનો ભારતનો રેકોર્ડ તાજેતરના વર્ષોમાં મિશ્ર રહ્યો છે. એજન્સીના મતે ભારત સામે આરોગ્ય સહિતના જે પડકાર ઊભા છે તેવા સંજોગોમાં ફિસ્કલ ક્ષેત્રે તેની પાસે પગલાં લેવા માટે મર્યાદિત વિકલ્પો છે. સરકારનું દેવું 2019-20માં જીડીપીના 70 ટકા થઈ ગયું છે, જે ‘BBB’ રેટિંગના સરેરાશ 42 ટકા કરતાં ઘણું જ વધારે છે. તેણે ઉમેર્યું કે ભારતની વિદેશી હુંડિયામણની મજબૂત સ્થિતિ છે, જેને કારણે તેનું સોવરેન રેટિંગ જળવાઈ રહ્યું છે અને તેની ફિસ્કલ ડેફિસિટ મામલે નબળી સ્થિતિ છતાં તેને સપોર્ટ મળી રહ્યો છે.

ફિચે ઉમેર્યું કે 2020-21માં ભારતનો ડેટ ટુ જીડીપી રેશિયો 77 ટકા થવાની ધારણા છે, જે ગત ડિસેમ્બરમાં તેના અંદાજ મુજબ 71 ટકા થવાનો હતો. 2021-22માં પણ આ રેશિયો ઊંચો રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ નબળો રહેવાનો છે તેને ધ્યાનમાં લઈને આ અંદાજ આપવામાં આવ્યો છે. ફિચ રેટિંગ્સે અગાઉ ડિસેમ્બર 2019માં ભારતનું ‘BBB-’ રેટિંગ જાળવી રાખ્યું હતું અને સ્ટેબલ આઉટલૂક આપ્યું હતું. તેણે તાજેતરમાં જ ભારતના ચાલુ વર્ષના જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને માત્ર 0.8 ટકા કર્યો હતો. કોરોના ત્રાટક્યો તે પહેલાં તેણે 5.6 ટકાનો અંદાજ આપ્યો હતો. જોકે તેણે કહ્યું છે કે 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ ફરી વધીને 6.7 ટકા થઈ જશે તેવી ધારણા છે.

પાટીદારો પણ ‘આપ’ ભણી : દિલ્હીના CM કેજરીવાલને મળવા મહેસાણાના વિસનગરથી પાટીદાર યુવા પ્રશંસકો અમદાવાદ પહોંચ્યા
હવે Whatsappમાં મેસેજના એક-બે નહીં, ત્રણ ટીક આવશે, સરકાર તમારા એકાઉન્ટ પર આ રીતે રાખશે ચાંપતી નજર : તમારા બધા મેસેજ,કોલ રેકોર્ડ થશે
C ગ્રેડની નિર્દેશક મણિમેકલાઈએ છેડેલાં વિવાદમાં કેનેડિયન આગા ખાન મ્યુઝિયમે માં કાલીના પોસ્ટર્સ મુદ્દે હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ માંગી માફી
શાહિન બાગના પ્રદર્શનકારીઓની સુપ્રિમમાં અરજી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે પાટીદારો કરતાં OBCને વધારે ટિકિટ આપી, બ્રાહ્મ-વાણિયાઓનો હજુ દબદબો….
Share This Article
Facebook Email Print
Previous Article એક્સિસ બેન્કે 1,388 કરોડની ખોટ કરી
Next Article Corona સંકટથી દુનિયાના 70 કરોડ ગરીબોને બચાવવા માટે જોઈશે 90 અરબ ડોલર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up