– કમલમ્ ખાતેથી પાસ લઈને રાજભવન પહોંચી રહ્યા છે નેતાઓ
– ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલીઓ બોલાવાયા
– અમદાવાદના મેયર હિતેશ બારોટ કમલમ્ ખાતે પહોંચ્યા
ગુજરાતના નવા મંત્રીમંડળનો આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે.શપથવિધિ પહેલાં જ આજે કમલમ્ ખાતેથી મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. હાલમાં કમલમ્ ખાતે રાજભવનમાં શપથ સમારોહમાં જવા માટેના પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.નવા મંત્રીઓનું મોઢું મીઠું કરાવવા કમલમ્ ખાતે મીઠાઈઓ પહોંચી ગઈ છે.
કમલમ્ ખાતે નવા મંત્રીમંડળની ઉજવણી માટે ઢોલી બોલાવાયા છે.જોકે હાલમાં ભાજપના નેતાઓ તથા કાર્યકરો કમલમ્ ખાતે પાસ લેવા પહોંચી રહ્યા છે અને ત્યાંથી રાજભવન જઈ રહ્યા છે.હાલમાં કમલમ્ ખાતે ચહલપહલ જોવા મળી રહી નથી,પરંતુ બપોરે શપથગ્રહણ સમારોહ બાદ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે એવી સંભાવના છે.


