– અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં ઈમારતોનાં બાંધકામ માટે અમલી સીજીડીસીઆર ૨૦૧૭માં ટોલ બીલ્ડીંગ-ઉંચી ઈમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
– ગ્રોથ અને FSI વધારા અંગે કરેલા દિશા સૂચન તરફ સરકારનું સરાહનીય પ્રયાણ
રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર ૨૦૧૭માં ટોલ બિન્ડિંગઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ ૨૨-૨૩ માળના ઊચી ઇમારતો બની શકતી હતી. તેના સ્થાને હવે ૭૦થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે.મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો,ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે.તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે.ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧:૯ કે વધુ હોય તેને લાગુ થશે. વધુમાં આ જોગવાઇ ડી-૧ કેટેગરીમાં એયુડીએ, એસયુડીએ, વીયુડીએ, આરયુડીએ અને જીયુડીએમાં એવા વિસ્તારમાં લાગુ થશે જયાં હાલ સીજીડીસીઆર મુજબ બેઈઝ એસએફએલ ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે. સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (એસટીસી) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. ૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. ૧૦૦ થી ૧૫૦ મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર અને ૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર રહેશે. મહત્તમ એફએસએલ પ.૪ મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ એફએસએલ ફ્રી એફએસએલ તરીકે તથા બાકીની એફએસએલ પ્રિમીયમ-ચાર્જેબલ એફએસએલ તરીકે મળશે. તેમાં પ્રિમીયમ એફએસએલનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે. રહેણાંક/વાણિજ્યક/રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ/ વપરાશ મળવાપાત્ર થશે.પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે.વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ સહિત રાજ્યના આર્થિક પાટનગર સુરત,વડોદરા,રાજકોટ અને ગાંધીનગર શહેરોનો વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે.એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે,તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે.શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે.જેથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
ગુજરાતના પાંચ શહેરોમાં ગગનચૂંબી ઈમારતોના નિર્માણ માટેના દરવાજા રાયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખોલ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં ૭૦ માળ અને તેનાથી મોટી બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ૨૨થક્ષ ૨૩ માળની મંજૂરી મળતીહ તી હવે ટૂંક સમયમાં ગુજરાતના મહાનગરોમાં વિદેશના શહેરોની જેમ ઐંચા બિલ્ડિંગો જોવા મળશે અત્રે નોંધવું જરૂરી છે ગાંધીનગરના ૨૯ માળને ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે.
હવે સિંગાપોર,દુબઈની જેમ સ્કાય સ્ફેપર્સ બિલ્ડિંગોનું નિર્માણ ગુજરાતમાં થશે.આઈકોનિક સ્ટ્રકચરના નિર્માણને મંજૂરી આપવામાં આવશે.હાલ ગુજરાત સરકારના નિયમ મુજબ વધુમાં વધુ ૨૫થી ૨૯ માળ ઉંચા મકાનોના સ્થાને ૭૦થી વધુ માલના મકાનો બનાવવા મંજૂરી મળશે.
અમદાવાદ,વડોદરા,સુરત, રાજકોટ અને ગાંધીનગરને આવી ગગનચૂંબી ઈમારતો બાંધકામ માટે હાલની અમલી સીજીડીસીઆર-૨૦૧૯ના ટોલ બિલ્ડિંગ રેગ્યુલેશન્સમાં સુધારો કરવામાં આવશે આ માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. આ નવા બિલ્ડિંગની જોગવાઈમાં ૧૦૦ મીટરથી વધુ ઉંચાઈના બિલ્ડિંગને લાગુ થશે. આસ્પેકટ રેશિયો ૧:૯ કે તેથી વધુ લાગુ પાડવામાં આવશે.
આ માટે ખાસ આૈંડા, સુડા, વુડા, રૂડા તથા ગુડાનો એવા વિસ્તાર સમાવેશ થયો છે.જેમાં સીજીડીસીઆર મુજબ બે,ઝ એફએસઆઈ ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર થશે.આ બિલ્ડિંગના નિર્માણ માટે ૩૦ મીટરની પહોળાઈના કે તેથી વધુ ડીપી ટીપીના રસ્તા પર મળવાપાત્ર થશે આ માટે ૧૦૦થી ૧૫૦ મીટર કે ઉંચાઈ માટે પ્લોટની સાઈઝ ૨૫૦૦ ચો.મીટર અને ૧૫૦ મીટરથી વધુ ઉંચાઈ માટે ૩૬૦૦ ચો.મીટર નક્કી કરવામાં આવી છે.
આ બિલ્ડિંગોને મહત્તમ એફએસઆઈ ૫.૪ મળવાપાત્ર બનશે. બેઈઝ એફએસઆઈ તરીકે બાકીની એફએસઆઈનો ચાર્જ ૫૦ ટકા જંત્રીનો દર ખુલ્લા બિન ખેતીના ટાર્ગેટનો જંત્રી દર ગણવામાં આવશે.આ સિવાય ગ્રીન વાહનને ધ્યાનમાં રાખીને ઈલેકટ્રીક ચાર્જીસ ફરજિયાત વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે તેના આધારે ડિજસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે અને આ એકજ બિલ્ડિંગમાં રહેણાંક, વાણિજીયક અને રિક્રીએશનો ત્રણેયનો સાથે ઉપયોગ કરી શકશે.
મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ગાંધીનગરનો ગુજરાતના જીડીપીમાં સિંહફલેગ છે શહેરી વિસ્તારોમાં વધી રહેલા મકાનોની માગ ગ્રામ્ય વિસ્તારમાંથી થઈ રહેલા સ્થળાંતર આ તમામ બાબતોની સાથે મહાનગરોમાં જમીનની અછતને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપારીની દીર્ઘદ્રષ્ટ્રિથી લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતના મહાનગરનું વટિર્કલ ડેવલપમેન્ટ શકય બનશે આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.
આ નિર્ણયના પરિણામે આવતા દિવસોમાં કેટલાય મોટા પ્રોજેકટો મહાનગરોમાં આકાર પામશે પરિણામે વિવિધ ક્ષેત્રમાં રોજગારીની તકો ખુલશે અને વિકાસના નવા દ્રાર ખુલશે.હાલમાં શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા વિસ્તારોમાં આવી ગગનચુંબી બિલ્ડીંગને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે કે સૌપ્રથમ આવી બિલ્ડીંગ કયા શહેરમાં આકાર લેશે


