By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં ૩૦૦ વર્ષ જૂના શિવમંદિર પર બૂલડોઝર ફર્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં ૩૦૦ વર્ષ જૂના શિવમંદિર પર બૂલડોઝર ફર્યું
GeneralNational

રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં ૩૦૦ વર્ષ જૂના શિવમંદિર પર બૂલડોઝર ફર્યું

HM News
Last updated: 23/04/2022 5:12 AM
HM News
3 years ago
Share
SHARE

રાજસ્થાનના અલવરમાં જિલ્લામાં આવેલા રાજગઢમાં ૩૦૦ વર્ષ જૂનું એક મંદિર બૂલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું.એ મુદ્દે રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે.ભાજપ અને કોંગ્રેસ સામા-સામા આરોપો મૂકી રહ્યા છે.મંદિર તૂટયું એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.રાજસ્થાનના અલવર જિલ્લામાં રાજગઢ નગર પાલિકા હેઠળ આવતા એક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું.૩૦૦ વર્ષ જૂના શિવમંદિર પર બૂલડોઝર ફરી વળ્યું હતું અને મૂર્તિઓને પણ તોડી પાડવામાં આવી હતી.એ ઘટના વખતે હાજર સરકારી અધિકારીઓ જૂતા પહેરીને શિવાલયમાં ફરતા હતા.એ મુદ્દે સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.ભાજપે આ ઘટના માટે કોંગ્રેસની રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી, જ્યારે કોંગ્રેસે તેની પાછળ ભાજપશાસિત નગરપાલિકા ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો.ભાજપના સ્થાનિક નેતાઓએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.ભાજપે કલેક્ટર, નગર પાલિકાના અધિકારી ઉપરાંત ધારાસભ્ય સામે તુરંત પોલીસ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે ૩૦૦ વર્ષથી નગરની વચ્ચોવચ ઉભેલું મંદિર અચાનક કેમ તોડી પાડવું પડયું? ભાજપે એક ટીમને ઘટનાનો રીપોર્ટ આપવા માટે મોકલી છે.

બીજી તરફ કોંગ્રેસે બચાવ કરતા કહ્યું હતું કે આ કામ રાજ્ય સરકારે કર્યુ નથી.ભાજપ શાસિત રાજગઢ નગર પાલિકાએ મંદિર તોડી પાડયું છે.વિકાસના નામે જે પ્રસ્તાવ મૂકાયો તેને ભાજપના ૩૫ નગરસેવકોએ મંજૂર કર્યો હતો.નગરપાલિકામાં કોંગ્રેસનો માત્ર એક જ સભ્ય છે.રાજગઢ કોંગ્રેસના ધારાસભ્ય જૌહરીલાલ મીણાએ કહ્યું હતું કે મંદિર અને આસપાસનું દબાણ હટાવવામાં કોંગ્રેસની કોઈ જ ભૂમિકા નથી.કોંગ્રેસ તો આ મંદિર ફરી બાંધવાના પક્ષમાં છે.ભાજપ શાસિત નગરપાલિકાની બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, ત્યારે કોંગ્રેસના નગરસેવકે તો તેનો વિરોધ પણ કર્યો હતો.રાજગઢમાં દબાણ હટાવવાની કામગીરીના ભાગરૃપે કુલ ત્રણ મંદિરો તોડવામાં આવ્યા હતા.સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું કે મંદિર રસ્તામાં આવે છે અને એ જમીન સ્થાનિક સરકારની માલિકીની છે.અગાઉ ગયા સપ્તાહે રાજગઢ નગર પાલિકાની દબાણ હટાવવાની કાર્યવાહીમાં ૮૫ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

પ્રોફેટ મોહમ્મદ અંગે પુસ્તક પ્રકાશિત કરનારા વસીમ રિઝવીના પુસ્તક પર પ્રતિબંધ મુકવા મુસ્લિમ સમાજની માગ
બલેશ્વરમાં સોમીયા પ્રોસેસર કંપનીના ગોડાઉનમાંથી સામાનની ચોરી
અમદાવાદમાં રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા, ત્રણ રથને અપાશે ત્રણ લેયરની સુરક્ષા
કામરેજના સેવણી ચાર રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી બુલેરો ગાડી ઝડપી પાડવામાં આવી
મુશ્કેલીમાં ઝુકરબર્ગ : ટૂંક સમયમાં બંધ થઈ શકે છે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ, જાણો સમગ્ર મામલો
Share This Article
Facebook Email Print
Previous Article કર્ણાટકમાં યોજાયેલી પરીક્ષામાં હિઝાબ પહેરીને આવેલી ઘણી વિદ્યાર્થિઓ પાછી ફરી
Next Article દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો ઃ નવા ૨૪૫૧ કેસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up