By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજેન્દ્ર ત્રિવેદીને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ અને જીતુ વાઘાણીને શિક્ષણ, બ્રિજેશ મેરજાને શ્રમ વિભાગ ફાળવાયો, સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટની બેઠક પૂર્ણ,
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજેન્દ્ર ત્રિવેદીને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ અને જીતુ વાઘાણીને શિક્ષણ, બ્રિજેશ મેરજાને શ્રમ વિભાગ ફાળવાયો, સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટની બેઠક પૂર્ણ,
GeneralGujarat NowPolitics

રાજેન્દ્ર ત્રિવેદીને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ અને જીતુ વાઘાણીને શિક્ષણ, બ્રિજેશ મેરજાને શ્રમ વિભાગ ફાળવાયો, સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટની બેઠક પૂર્ણ,

HM News
Last updated: 16/09/2021 1:11 PM
HM News
4 years ago
Share
SHARE

– મંત્રી પદ મળશે તેવી રાહમાં બેઠેલા જૂના મંત્રીઓએ નિરાશ ચહેરે કેબિનો ખાલી કરી

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી,જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યા છે.ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી.બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે.જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો,હર્ષ સંઘવીને ગૃહ,જીત વાઘાણીને શિક્ષણ,રાઘવજી પટેલને કૃષિ,બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર,પ્રદીપ પરમારને સામાજીક અને ન્યાય ખાતું ફાળવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલ- સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન,ગૃહ અને પોલીસ હાઉસિંગ,માહિતી અન પ્રસારણ,પાટનગર યોજના,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ,ઉદ્યોગ,ખાણ અને ખનીજ,નર્મદા,બંદરો,તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને
ફાળવાયેલ હોય તેવા વિષયો / વિભાગો કેબિનેટ મંત્રી

રાજેન્દ્ર ત્રિવેદી- મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જીતુ વાઘાણી- શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક
રૂષિકેશ પટેલ- આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
પૂર્ણેશ મોદી- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
રાઘવજી પટેલ- કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન કનુ દેસાઇ- નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ કીરીટસિંહ રાણા- વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશ પટેલ- આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદિપસિંહ પરમાર- સામાજીક ન્યાય અને અધિકારીતા
અર્જુનસિંહ ચૌહાણ- ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

રાજયકક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી- રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન જગદીશ વિશ્વકર્મા- કુટિર ઉદ્યોગ,સહકાર,મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ,વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ,પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
બ્રિજેશ મેરજા- શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો),ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જીતુ ચૌધરી- કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો મનીષાબેન વકીલ- મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા રાજયકક્ષાના મંત્રી

મુકેશ પટેલ- કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

નિમિષાબેન સુથાર- આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ અરવિંદ રૈયાણી- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેર ડીંડોર- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
કિર્તીસિંહ વાઘેલા- પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમાર- અન્ન નાગરિક પૂરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર. સી. મકવાણા- સામાજીક ન્યાય અને અધિકારીતા
વિનોદ મોરડીયા- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવા માલમ- પશુપાલન અને ગૌ સંવર્ધન

જૂના મંત્રીઓએ કેબિનો ખાલી કરી

ગાંધીનગરમાં સ્વર્ણિમ સ્કૂલ -1 ખાતે નવા મંત્રીઓના આગમનને લઈને તૈયારી કરવામાં આવી રહી છે.સ્વર્ણિમ સંકુલ-1ના ગેટ પર આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે.જ્યારે જૂની સરકારમાં રહેલા મંત્રીઓ પણ મંત્રીપદ મળશે એવી અપેક્ષાએ બેસી રહ્યા હતા. પરંતુ મંત્રીમંડળમાં ન સમાવાતા નિઃશાસો નાખી કાર્યાલય ખાલી કરી રહ્યા છે.તેમના કાર્યાલયમાંથી થેલેથેલા ભરીને બધું કાઢીને વાહનોમાં ભરવામાં આવી રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના બાદ સાંજે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી, જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે,જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે.ત્યારે મંત્રીઓને ખાતાની ફાળવણી સાંજે કરાશે.

રાજ્યના 20 શહેરોમાં રાતના 8થી સવારના 6 સુધી કર્ફ્યૂ : CM રૂપાણી
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત : કોરોનાને લઈને ચર્ચા
ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાન નટુકાકાના અવસાનથી શોક
મોદી સરકારના આર્થિક પેકેજ પર તમામનું ધ્યાન કેન્દ્રિત
NRI ને ચઢ્યો લગ્નનો શોખ: પાંચમાં લગ્નની કરી રહ્યો હતો તૈયારી, ચોથી પત્નીએ પોલીસ ફરીયાદ કરતા થયા બેહાલ
Share This Article
Facebook Email Print
Previous Article હવે મને કોઈ હોદ્દાનો મોહ નથી, હું ગુજરાતમાં છું : નીતિન પટેલ
Next Article 71 વર્ષના થયા PM મોદી, યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, મેગા વેક્સિનેશનની તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up