કનિદૈ લાકિઅ અમદાવાદ : રાજ્યની જેલોમાં રહેલા કેદીઓમાં કોરોના સંક્રમણની સંભાવનાઓ નિવારવા સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.આ નિર્ણય અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ અને કાચા કામના કેદીઓને વચગાળાના જામીન ઇન્ટ્રીમ બેલ બે માસ માટે અપાશે.કુલ 1200 જેટલા કેદીઓને આ લાભ અપાશે આવા કેદીઓનું તેમને ઘરે મોકલતા પહેલા સંપૂર્ણ તબીબી પરીક્ષણ કર્યા બાદ જો કોઈ કેદી ને તાવ શરદી જેવા લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરવામાં આવશે.આવા કેદીઓને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા જેલ સત્તાવાળાઓ દ્વારા કરાશે.